ગાંધીનગરઃ વાવાઝોડા તૌકતેને કારણે રાજ્યમાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે ખેતીમાં નુકસાન, પુનવર્સન કામો, માળખાકીય સુવિધા માટે રાજ્યની રૂપાણી સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત રૂ. 9836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યું છે. વાવાઝોડાની વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકસાનને લઇને કેન્દ્ર સરકાર મોટી રાહત આપે તેવી માંગ કરી છે.
મેમોરેન્ડમમાં રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલા વ્યાપક નુકસાનનો સર્વે કરાયો છે અને પછી સરકાર પાસે માંગ કરાઇ છે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલા વાવાઝોડા કરતાં તૌકતે વાવાઝોડું વિકરાળ અને વિનાશક હતું. એટલું જ નહિ, ગુજરાત પર ત્રાટકેલા આ વાવાઝોડાની તીવ્રતા એટલી હતી કે મકાનોને મોટું નુકસાન થયું છે ખેતી ખતમ થઇ ગઇ છે, વીજળી સપ્લાય પર અસરો થઇ છે.
ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે રૂ.500 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ તેની અસર થઈ છે રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને નુકસાન થયું છે. જેની સામે કેન્દ્ર સરકારે ગુજરાતને માત્ર એક હજાર કરોડના રાહત પેકેજની મદદ કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45