Wed,24 April 2024,12:35 pm
Print
header

કોરોનાથી સંક્રમિત આસારામની તબિયત લથડી, હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો

જોધપુરઃ રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબિયત લથડી છે. બેચેનીની ફરિયાદ બાદ તેને કોવિડ સેંટર ખસેડવામાં આવ્યો છે.ત્રણ દિવસ પહેલા તેનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યાં હતા જે બાદ તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને બુધવારે સાંજે સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આસારામને જેલમાં મોકલવામાં આવ્યો હોવાના સમાચાર આવતાં જ તેના સમર્થકો હોસ્પિટલ બહાર એકઠા થઈ ગયા હતા. આ પહેલા ફેબ્રુઆરીમાં તેની તબિયત લથડતાં મહાત્મા ગાંધી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયો હતો. ફેબ્રુઆરીમાં પણ તેની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.
દુષ્કર્મ કેસમાં તે આજીવન કેદની સજા કાપી રહ્યો છે. તેના પર નરબલી, હત્યા જેવા અનેક ગંભીર ગુના છે એક સમયે તેના દરબારમાં નેતાઓ સહિત મોટી મોટી હસ્તીઓ આવતી હતી.લાખોની સંખ્યામાં તેના અનુયાયીઓ છે. પરંતુ 2013માં રેપ કેસમાં ફસાયા બાદ તેની પડતી શરૂ થઈ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch