કમોસમી વરસાદથી માર્ગ ધોવાઈ જતાં લીલી પરિક્રમા સ્થગિત, જો કે સાધુ સંતોને મળી મંજૂરી
પરિક્રમા ન હોવા છતા જૂનાગઢમાં માનવ મહેરામણ ઉમટ્યું
પ્રતિકાત્મક પરિક્રમામાં સાધુ- સંતો ઉપસ્થિત રહ્યાં
જૂનાગઢઃ ગિરનારની પ્રખ્યાત લીલી પરિક્રમા દર વર્ષે કારતક મહિનાની દેવઉઠી એકાદશીના શુભ દિવસે શરૂ થાય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે પરિક્રમા માર્ગ ધોવાઈ જતા જનતા માટે તે રદ્દ કરવામાં આવી હતી. જો કે, પરંપરા તૂટે નહીં તે માટે 1 નવેમ્બરની મધ્ય રાત્રિએ પૂજા-પાઠ સાથે એક દિવની પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાત્રે 12 વાગ્યે ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર ભારતી આશ્રમના પ્રવેશદ્વારથી આ વિધિ શરૂ થઈ હતી.સૌ પ્રથમ ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કરાયું. દીવો પ્રગટાવીને શ્રીફળ વધેરીને શુભ મુહૂર્ત કરાયું. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગિરનારનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આજે સવારે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ ધાર્મિક પરંપરા જાળવવા માટે ગિરનારની પરિક્રમા શરૂ કરી હતી, જે સાંજ સુધી ચાલશે. જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસીયા, કમિશનર, શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ જેવા મુખ્ય સાધુ-સંતો આ ધાર્મિક વિધિમાં હાજર રહ્યાં હતા.
કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું કે, ભાવિકો માટે આ વર્ષે પરિક્રમા મોકૂફ રખાઈ છે, પરંતુ ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે, જેમાં સાધુ-સંતો અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સામેલ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
મોરબીમાં વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતો આરપારના મૂડમાં, 50થી વધુ ટ્રેક્ટરો સાથે 700 ખેડૂતોની વિશાળ રેલી | 2026-06-10 18:20:59
રાજકોટમાં રમતી વખતે 14 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, પરિવાર આઘાતમાં | 2026-06-08 17:53:28
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: અમિત ખૂંટ આપઘાત કેસમાં ચર્ચામાં આવેલી પૂજા રાજગોરનું મોત | 2026-06-05 18:36:57
રાજકોટમાં બાબા બાગેશ્વરનું આગમન, દિવ્ય દરબાર સામે પાટીદાર અગ્રણીનો વિરોધ | 2026-06-05 18:12:32