Tue,23 April 2024,5:43 pm
Print
header

શિક્ષક દિવસે જ શિક્ષકની સ્કૂલમાં આત્મહત્યા, સ્યૂસાઇડ નોટ મળી આવી

ગીર ગઢડાઃ આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોનું તેમની કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે આ બધાની વચ્ચે ગીર સોમનાથ તાલુકાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામે એક શિક્ષકે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી છે.શિક્ષક પાસેથી સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને એક આચાર્યના ત્રાસથી તેમને જીવન ટુંકાવ્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે.

બપોરના સમયે ગીર ગઢડા તાલુકાના થોરડી ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર દોરડા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. શાળાના સ્ટાફનું ધ્યાન પડતા પોલીસને જાણ કરાઇ હતી. જેને પગલે પોલીસે આવીને શિક્ષકના મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડ્યો હતો.

સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જો કે આ નોટમાં શિક્ષકની કોઈ સહી નથી. પોલીસ હાલ આ દિશામાં તપાસ કરી રહી છે. એક શિક્ષકના આ પગલાથી તેમના પરિવારજનો પણ આઘાતમાં ચાલ્યાં ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch