કોંગ્રેસ હાઇકમાન્ડ સહિતના નેતાઓ અપરિપકવઃ મણિલાલ
અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસમાં ભંગાણ થવાનું યથાવત છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિની રાજીનામું મોકલ્યું છે. પૂર્વ ધારાસભ્યએ રાજીનામું આપતા કૉંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ છે. 2017 ની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાની ટીકીટ કાપી અને જીગ્નેશ મેવાણીને વિપક્ષમાં સ્થાન અપાયું હતું. કોંગ્રેસે તેનો કોઇ ઉમેદવાર અહીં ઉભો રાખ્યો ન હતો. જેના લીધે મણીલાલ વાઘેલા કોંગ્રેસથી નારાજ હતા.
કોંગ્રેસમાંથી એક પછી એક જૂના કાર્યકરો છેડો ફાડી રહ્યા છે. આજે વડગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે. મણિલાલ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપી છે. તેમજ 2012માં ભાજપના કેબિનેટ મંત્રી સ્વ. ફકિરભાઇ વાઘેલાને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બન્યાં હતા.
મણિલાલે કોંગ્રેસ હાઇકમાન્ડ સહિતના નેતાઓને અપરિપકવ ગણાવ્યાં છે અને પાર્ટીની હજુ વધુ દુર્દશા થશે તેમ જણાવ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51