સિંધી કોઈ ધર્મ નથી એ ભારતના હિન્દુનો ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છેઃ નીતિન પટેલ
મંદિરો તોડીને મસ્જીદો બનાવી દેવામાં આવીઃ નીતિન પટેલ
કડીઃ આજે સિંધીઓ ભાઇઓનાં નવા વર્ષ ચેટીચાંદની ઉજવણી થઇ રહી છે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અવસર પર કડીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું જે મહોલ્લામાં રહેતો હતો ત્યાં 1960થી પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા 30 જેટલા પરિવારો રહેતા હતા. નવી પેઢીને તો ઘણું બધું ખબર જ નથી, આ સિંધી શબ્દ પહેલા ન હતો, પહેલા વડીલો તમને બધાને નિરાશ્રિત કહેતા હતા. ભારતના ભાગલા પડ્યા ત્યારે તમે બધા દેશભક્તિથી પ્રેરાઈ પાકિસ્તાન છોડી આપણા ભારતની પવિત્ર ભૂમિમાં આવ્યાં,પાકિસ્તાનના મુસલમાનો ત્રાસ અને અત્યાચાર, મુસલમાનો આપણી બહેન-દીકરીઓ ઉપરની ખરાબ નજર રાખે, તે બધું તમે જોયું છે.
આ બધું છોડી તમે બધા પહેરેલા કપડે અહીં આવ્યાં હતા. તમે બધા ગરીબ ન હતા. આજે સિન્ધ પ્રાંત કહેવામાં આવે છે તે સિંધ પ્રાંતમાં સિંધીઓ મોટા જમીનદારો હતા, મોટા ખેડૂતો હતા, મોટા વેપારીઓ હતા, મોટા ઉદ્યોગપતિઓ હતા. આઝાદીની લડતમાં મોટા નેતાઓ પણ હતા. પણ, કમનસીબે 1947માં ભાગલા પડ્યાં એ પછી સિંધીભાઈઓને પણ બીજા સમાજની જેમ સ્થળાંતર કરવું પડ્યું હતું.
એ વખતે તમે લોકો એ જમાનાની લાખો રૂપિયાની મિલકત પાકિસ્તાનમાં મૂકી દીધી. તમે લોકોએ મુસલમાનોના અને પાકિસ્તાનીઓના અત્યાચારથી બચવા માટે અને બહેન-દીકરીઓની ઈજ્જત બચાવવા માટે લાખો રૂપિયાની જમીન, મકાનો બધું મૂકી ભારતમાં આવ્યાં હતા.
નીતિન પટેલે જણાવ્યું કે, સિંધી કોઈ ધર્મ નથી એ ભારતના હિન્દુનો ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. પહેલાં સિંધી શબ્દ ન હતો નિરાશ્રિત કહેતા હતા. ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો ભારત આવ્યા હતા. એટલું જ નહિ તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનમાં મુસલમાનો એ કરેલા અત્યાચારો તમારે ભૂલવાના નથી, તેમનું ભૂત ગમે ત્યારે એને ગમે ત્યાં ધુણે છે. હાલ મહારાષ્ટ્રમાં ફરી ઔરંગઝેબનું ભૂત ધુણ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
ગુજરાતમાં હવે ભાડા પટ્ટાની જમીન કાયમી થશે, મહેસૂલ વિભાગે જાહેર કર્યો નવો ઠરાવ- Gujarat Post | 2025-04-22 14:23:18
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Breaking News: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો | 2025-04-16 15:25:26
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49