અમરેલીઃ ગુજરાતના રાજકારણમાં અત્યારે ખેંચતાણનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાતે આપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીના રાજકીય ભવિષ્ય અંગે કરેલી આગાહીએ ચર્ચા જગાવી છે.
પ્રતાપ દુધાતે દાવો કર્યો છે કે ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે વિખેરી નાખશે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ગોપાલ ઈટાલિયા પોતે જ ઝાડુ મારીને પક્ષ સાફ કરી નાખશે અને અંતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. તાજેતરમાં રાજીનામું આપનાર ખેડૂત નેતા રાજુ કરપડાની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે, વિસાવદરની ચૂંટણી વખતે જેઓ મોટા નિવેદનો આપતા હતા, આજે તેમની હાલત જનતાની સામે છે.
ટૂંક સમયમાં ઈસુદાન ગઢવીનો પણ રાજકીય ભોગ લેવાશે. પ્રતાપ દુધાતે જનતાને આ રાજકીય ખેલ સમજવા માટે અપીલ કરી છે. તેમના મતે આપના નેતાઓ જે રીતે એક પછી એક પક્ષ છોડી રહ્યાં છે અથવા ભાજપ તરફી ઝુકાવ ધરાવે છે, તે પૂર્વ-આયોજિત રમત છે.
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04