Thu,25 April 2024,1:21 pm
Print
header

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ચૂંટણી લડવાને લઈને કહી આ મોટી વાત – Gujarat Post

વિજય રૂપાણીએ પત્ની સાથે કર્યાં મા અંબાના દર્શન

મા અંબાના આશીર્વાદ કાયમ ગુજરાતને મળતા રહેશે તેવી મને પૂરી શ્રદ્ધાઃ રૂપાણી

બનાસકાંઠા: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજીમાં માં આંબાની પૂજા અર્ચના કરી હતી. માતાજીના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, શ્રાવણ મહિનામાં માં અંબાના દર્શનની જે તક મળી છે તેથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. માં અંબા બિરાજમાન છે એટલે ગુજરાત સલામત છે. માં અંબાના આશીર્વાદ કાયમ ગુજરાતને મળતા રહેશે તેવી મને પૂરી શ્રદ્ધા છે.

આગામી વિધાનસભા ચૂંટણી લડવા અંગેના પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે અમારે ત્યાં વ્યક્તિ નિર્ણય નથી કરતો, પાર્ટી નિર્ણય કરે છે. પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ હું કામ કરીશ. ભાજપ ચૂંટણી લડાવશે તો હું લડીશ, નહીં લડાવે તો કાર્યકર્તા તરીકે જે કામ સોંપશે તે કરીશ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી બને તે માટે પ્રયત્ન કરીશું. વિજય રૂપાણીની ખુરશી છીનવાયા બાદ તેમના પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા હતા અને ભાજપનું અન્ય ગ્રુપ તેમની પાછળ પડ્યાનું અનેક વખત સામે આવ્યું છે, જેના પરથી તો લાગી રહ્યું છે કે ભાજપ રૂપાણીને હવે ટિકિટ આપવાના મૂડમાં નથી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch