ગાંધીનગર: યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની જાળવણીના મહત્વને પ્રોત્સાહન આપવા દર વર્ષે 19મી નવેમ્બરથી 25મી નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ઐતિહાસિક વારસાના સ્થળોને પ્રોત્સાહન આપવા માટે આ સપ્તાહનું આયોજન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સહયોગથી કરવામાં આવે છે. આ વર્ષની થીમ વિવિધ સાંસ્કૃતિક વારસાના મહત્વને ઉજાગર કરતી વિવિધતાની શોધ અને અનુભવ કરવાની છે.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ એવા ગુજરાતમાં અનેક મુખ્ય હેરિટેજ સ્થળો છે, જે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાત પ્રવાસન વિભાગના ડેટા અનુસાર વર્ષ 2023-24માં 21 લાખથી વધુ પ્રવાસીઓએ રાજ્યના ઐતિહાસિક વારસાના સ્થળોની મુલાકાત લીધી છે, જે ગુજરાતના પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ઐતિહાસિક વારસાના સ્થળોને આકર્ષક અને સુવિધાજનક બનાવવા માટે રૂ. 428 કરોડથી વધુના ખર્ચે વિકાસના કામો શરૂ કર્યા છે. તેમાં રાત્રિ પ્રવાસની દિશામાં લાઈટ એન્ડ શો જેવી આકર્ષક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે, જે પ્રવાસીઓને વિશેષ અનુભવ પ્રદાન કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ એવા વડનગર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વડનગરમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 70 કરોડનો ખર્ચ કરીને પાયાની અને આધુનિક પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. 2023-24માં પ્રવાસીઓની સંખ્યા ત્રણ ગણી વધીને લગભગ 7 લાખ થઈ છે, જ્યારે 2022-23માં આ સંખ્યા માત્ર 2.45 લાખ હતી.
185 કરોડના ખર્ચે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ એવા ધોળાવીરા ખાતે પણ વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ફેઝ-1 અંતર્ગત રૂ. 76 કરોડનું કામ ચાલી રહ્યું છે. ધોળાવીરામાં પ્રવાસીઓની સંખ્યા 2023-24માં બમણીથી વધીને 2.32 લાખ થઈ હતી, જ્યારે 2022-23માં આ સંખ્યા 1.41 લાખ હતી.
ગુજરાતના અન્ય ઐતિહાસિક સ્થળો જેવા કે મોઢેરાનું સૂર્ય મંદિર, રાની કી વાવ અને અડાલજ કી વાવમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ સ્થળોએ અનુક્રમે રૂ. 20 કરોડ, રૂ. 18 કરોડ અને રૂ. 5 કરોડનો ખર્ચ કરીને પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. 2023-24માં આ સ્થળો પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો, જે 2022-23ના આંકડા કરતાં વધુ હતો.
ગુજરાત સરકારે રાજ્યના ઐતિહાસિક કિલ્લાઓની જાળવણી પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. જૂનાગઢના ઉપરકોટ કિલ્લાનું 74 કરોડના ખર્ચે પુનઃનિર્માણનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલીના રાજમહેલ અને લખપતના કિલ્લાને 21 કરોડ અને 25 કરોડના ખર્ચે ફરીથી બનાવવામાં આવી રહ્યા છે.
ગુજરાત સરકારના આ પ્રયાસોને કારણે રાજ્યના ઐતિહાસિક વારસાના સ્થળોને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે. આ વિકાસ કામો પ્રવાસીઓને બહેતર અનુભવ તો આપશે જ પરંતુ રાજ્યની આર્થિક સ્થિતિ પણ મજબૂત કરશે. ગુજરાતમાં હેરિટેજ ટૂરિઝમના આ નવા યુગ સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્ય ટૂંક સમયમાં દેશના અને વિશ્વના મુખ્ય હેરિટેજ પર્યટન સ્થળોમાં એક વિશિષ્ટ સ્થાન બનાવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા હત્યા કેસમાં બિહાર પોલીસે કરી કાર્યવાહી, એક આરોપી ઠાર | 2025-07-08 09:03:44
ટ્રમ્પે જાપાન અને કોરિયા સહિત 14 દેશો પર ટેરિફ બોમ્બ ફેંક્યો, પરંતુ ભારત સાથેના સોદા માટે આ સારા સમાચાર આપ્યાં | 2025-07-08 08:33:42
GST નું આ કૌભાંડ નીકળ્યું 5,000 કરોડ રૂપિયાનું, જાણો- કૌભાંડીઓ સામે ED એ શું કરી કાર્યવાહી ? | 2025-07-07 20:09:14
અમેરિકાના ટેક્સાસમાં તબાહી...પૂરને કારણે 43 લોકોનાં મોત, કેમ્પિંગ કરવા ગયેલી 23 છોકરીઓ ગુમ | 2025-07-06 09:04:11
બિહારના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને કરાઇ હત્યા, 6 વર્ષ પહેલા તેમના પુત્રની પણ હત્યા થઇ હતી | 2025-07-05 09:35:02
હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છુંઃ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનથી અનેક તર્કવિતર્ક | 2025-07-08 10:48:48
વિદેશ જવાની ઘેલછામાં વિજાપુરના એક યુવકે ગુમાવ્યો જીવ, સ્યૂસાઇડ નોટમાં થયો ખુલાસો- Gujarat Post | 2025-07-07 14:40:59
24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ, વડગામમાં 8.6 ઈંચથી પાણી પાણી થયા રસ્તાઓ | 2025-07-03 20:14:37
અમરેલી સિવિલ હોસ્પિટલમાં કાર વડે યુવકને કચડી નાખવાનો પ્રયાસ, સનસનાટીભરી ઘટના CCTVમાં કેદ | 2025-07-02 08:48:28
અમદાવાદથી સોમનાથ ઝડપથી પહોંચાશે, નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે ને મળી મંજૂરી | 2025-07-01 15:12:44