Sat,08 August 2026,10:30 pm
Print
header

વડોદરાના માંજલપુર સાથે બાંકીપુર અને દતિયામાં મતદાન, પરિણામ 3 ઓગસ્ટે આવશે

  • Published By
  • 2026-07-30 08:40:08
  • /

વડોદરાઃ વડોદરાની માંજલપુર બેઠક, બિહારની બાંકીપુર બેઠક, મધ્ય પ્રદેશની દતિયા બેઠક માટે આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે, તેના પરિણામો 3 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. બિહારના બાંકીપુરમાં ભાજપના નીરજ કુમાર સિંહા, જન સુરાજની પ્રશાંત કિશોર અને આરજેડીની રેખા ગુપ્તા વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો છે. મ.પ્રદેશના દતિયામાં ભાજપના આશુતોષ તિવારી અને કોંગ્રેસના ઘનશ્યામ સિંહ વચ્ચે સ્પર્ધા છે. રાજેન્દ્ર ભારતી ગેરલાયક ઠરવાને કારણે આ બેઠક ખાલી પડી હતી. વડોદરાના માંજલપુરની પેટાચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે યોજાઈ રહી છે.

માંજલપુર બેઠક પર પાટીદાર મતદારોની નોંધપાત્ર સંખ્યા હોવાથી ભાજપે એક પાટીદાર નેતાને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ભાજપના આ ગઢમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસે એક અનુભવી નેતાને ઉમેદવાર બનાવ્યાં છે, જેનાથી આ મુકાબલો રસપ્રદ બની રહ્યો છે.

વડોદરામાં ભાજપના નેતા જય પ્રકાશ સોની મતદાન કરવા પહોંચ્યા

ગુજરાતના વડોદરામાં માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપના નેતા જય પ્રકાશ સોનીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન મથક પર પહોંચીને અને મતદાન કર્યા બાદ તેમણે લોકોને લોકશાહીના આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી.

માંજલપુરના દાવ પર ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખની પ્રતિષ્ઠા

માંજલપુર બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખાસ સ્પર્ધાની ધારણા છે. ભાજપે સતિશ પટેલને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ભીખાભાઈ રબારીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ મતવિસ્તારમાં 2.60 લાખથી વધુ મતદારો છે.

2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, ભાજપના યોગેશ પટેલે 1.20 લાખથી વધુ મત મેળવીને આ બેઠક જીતી હતી. હવે પેટાચૂંટણીનું  પરિણામ 3 ઓગસ્ટે આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch