મધ્યપ્રદેશઃ સમાજવાદી પાર્ટીના પૂર્વ MLA વિજય મિશ્રાના પરિવાર અને નજીકના સંબંધીઓ પર EDએ પોતાની પક્કડ વધુ કડક કરી છે. EDના પ્રયાગરાજ યુનિટે વિજય મિશ્રાની અંદાજે રૂ. 14.5 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. EDએ કુલ પાંચ મિલકતો જપ્ત કરી છે.આ મિલકતો મધ્યપ્રદેશના પ્રયાગરાજ, દિલ્હી અને રીવામાં હતી. મિલકતો વિજય મિશ્રાના પત્ની અને પૂર્વ એમએલસી રામ લાલી મિશ્રા તેમજ નજીકના સહયોગીઓ ભોલાનાથ શુક્લા અને ચંદન તિવારીના નામે હતી.
ED દ્વારા જે પાંચ મિલકતો જપ્ત કરવામાં આવી છે તેમાં 12.54 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો અને 1.85 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે, જે બેંકમાં જમા કરવામાં આવી હતી. વિજય મિશ્રા વિરુદ્ધ નોંધાયેલા મની લોન્ડરિંગ કેસ હેઠળ EDએ આ કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન આ મિલકતોની માહિતી મળી હતી. વિજય મિશ્રાના પરિવારે તેને VSP સ્ટાર રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડના નામે બનાવી હતી. જપ્ત કરાયેલી મિલકતોમાં ચાર સ્થાવર મિલકતો અને એક જંગમ મિલકતનો સમાવેશ થાય છે.
EDએ બિહારના પૂર્વ ધારાસભ્યની ધરપકડ કરી છે
EDએ અપ્રમાણસર સંપત્તિ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં બિહારના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવની ધરપકડ કરી છે. ધરપકડ કર્યા પછી, ધારાસભ્યએ આરોપ મૂક્યો કે તે રાજકીય ષડયંત્રનો શિકાર છે, લોકો તેનો યોગ્ય જવાબ આપશે. EDએ શુક્રવારે બિહાર કેડરના ભારતીય વહીવટી સેવા અધિકારીઓ સંજીવ હંસ અને યાદવની તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં ધરપકડ કરી હતી. હંસની પટનાથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે યાદવને ED દ્વારા દિલ્હીથી કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર શનિવારે પટના લાવવામાં આવ્યાં હતા.
પટના એરપોર્ટથી નીકળતી વખતે યાદવે પત્રકારોને કહ્યું કે હું નિર્દોષ છું. હું રાજકીય ષડયંત્રનો શિકાર બન્યો છું અને જનતા તેનો જડબાતોડ જવાબ આપશે. હંસ 1997 બેચના IAS અધિકારી છે અને બિહાર ઉર્જા વિભાગના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે, જ્યારે યાદવ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ભૂતપૂર્વ ધારાસભ્ય છે. તેમણે 2015 થી 2020 સુધી મધુબની જિલ્લાની ઝાંઝરપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22