સુરતઃ બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાત પ્રવાસે છે. તેમના સુરતમાં દિવ્ય દરબારનો બીજો દિવસ છે. તેઓ ખાટું શ્યામ મંદિરમાં દર્શનાર્થે જવાના હતા પરંતુ આ કાર્યક્રમ રદ્ કરાયો છે. બપોરે 12 કલાકે ટીજીબી હોટલમાં વીઆઈપી લોકો સાથે મુલાકાત કરી હતી અને દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા હાકલ કરી હતી. શુક્રવારે સાંજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, રાજકીય હસ્તીઓ દરબારમાં સામેલ થયા હતા. આજે પણ સવારથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યાં છે.
સુરતમાં દિવ્ય દરબાદને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઉનાળાની ગરમી હોવા છતા બાબાનું સ્વાગત કરવા માટે આતૂરતાથી રાહ જોઇ રહ્યાં હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ છે. ગઈકાલે તેમણે અનેક લોકોને સાંભળ્યાં હતા અને પરચા આપ્યાં હતા. દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ કેટલીક મહત્વની વાત જણાવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આવીને ખુબ જ આનંદ થયો છે.
ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે.
આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર એટલે કે ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈને અમદાવાદનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે સાંજના સમયે દરબાર યોજાશે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
सरकार के महादिव्य दरबार की अनुपम झलकियाँ सूरत(गुजरात) अवर्णनीय…अद्भुत#bageshwardhamsarkar #Surat #Gujarat pic.twitter.com/ii6wnauKnq
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) May 27, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સામેલ થવા મોટી સંખ્યામાં ઉમટ્યાં ભક્તો- Gujarat Post | 2023-05-26 12:24:50
અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન, હવે મથુરાનો વારો, અમદાવાદમાં બાગેશ્વર બાબાનું નિવેદન | 2023-05-25 21:02:56
સુરતમાં સાયબર વિભાગની ટીમના દરોડા, 1.41 કરોડની રોકડ મળી- Gujarat Post | 2023-05-25 11:50:37
અમદાવાદ, સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ- Gujarat Post | 2023-05-24 15:56:03