Fri,19 April 2024,9:05 pm
Print
header

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું કેજરીવાલ બિમાર છે- Gujaratpost

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે રાજકોટ માર્કેટ યાર્ડમાં પોસ્ટ ઓફિસનું ઉદ્ધઘાટન કર્યું હતું. દરમિયાન તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યાં હતા કેજરીવાલે IBના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય તો આપની સરકાર બને તેવું નિવેદન આપ્યું હતું.જેની સામે દેવુસિંહે જણાવ્યું કે, કેજરીવાલની મનોદશા બગડી ગઇ છે. તેઓ  મનોરોગીની જેમ સપના જુએ છે. હવે આ વધુ પડતું થઈ ગયું છે.

દેવુસિંહે કહ્યું કે આપ સૌ જાણો છો કે જાહેર જીવનની અંદર મોટા ગજાના નેતાઓ જુઠ્ઠું બોલે ત્યારે તેઓની વિશ્વનિયતા ઘટી જાય છે.કોઇ પણ વ્યક્તિને સપનું જોવાની છૂટ હોય છે પરંતુ ગમે તેવી વાતો કરવી મુર્ખતા છે.કોઈ કાર્યકર્તા આવું કરે અને કોઇ મુખ્યમંત્રી આવું કરે ત્યારે આ બંન્નેમાં મોટું અંતર હોય છે. આ લોકો હવે અપ્રચારને આધારે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ આવો મોકો અન્ય રાજ્યમાં મળશે આપણા ગુજરાતમાં નહીં.

દેવુસિંહે કહ્યું કે, જે લોકો રાષ્ટ્રહિતમાં કરશે અને ગુજરાતના વિકાસને આગળ વધારવામાં મદદ કરશે તેમને જ પ્રજા સ્વીકારશે. આજે ગાંધીજીનો જન્મ દિવસ છે, ગાંધીજી લીડરશીપ અને ટ્રસ્ટનું સૌથી મોટું ઉદાહરણ હતા. ગાંધીજીના એક અવાજ પર લોકો નોકરી છોડીને સ્વતંત્રતાની લડાઈમાં જોડાતા હતા. હવે આપણે પણ રાષ્ટ્રનું નવું નિર્માણ કરવાના છીએ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch