આપઘાત પાછળનું કારણ અકબંધ
કલ્યાણપુર પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી
આત્મહત્યા કરનારા મેરામણ ચેતરિયા કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાં હતા
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. મૃતકોમાં પિતા અને તેમના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે.
પ્રાથમિક માહિતી મુજબ, પરિવારના મોભીએ આ ભયાનક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. પરિવારના વડાએ સૌથી પહેલા પોતાના બે માસૂમ સંતાનોને ઝેરી દવા પીવડાવી હતી, બાદમાં પોતે આત્મહત્યા કરી હતી. મૃતકોમાં પાંચ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષનો પુત્ર સામેલ છે. માસૂમ બાળકોને ઝેર આપ્યાં બાદ પિતાએ પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારનું એક સાથે મોત થતાં ગ્રામજનો હચમચી ગયા છે.
આ સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. જો કે, ઘટનાની ગંભીરતા જોતાં કલ્યાણપુર પોલીસનો કાફલો તાત્કાલિક લાંબા ગામે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પરથી મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે.
પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરિવાર આર્થિક સંકડામણ કે અન્ય કોઈ પારિવારિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે. પરિવારે અંતિમ પગલું ભરતા પહેલા કોઈ સ્યૂસાઇડ નોટ લખી છે કે કેમ, તેની તપાસ થઇ રહી છે.
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
રાજકોટમાં બેકાબૂ BMW એ ટુ-વ્હીલરને ટક્કર મારતા યુવાનનું મોત, કાર ચાલકે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું | 2025-11-10 16:26:23
અમરેલીમાં ભાજપને ફટકો, ખેડૂત પેકેજથી નારાજ ચેતન માલાણીએ રાજીનામું આપ્યું | 2025-11-08 13:15:55
Acb ટ્રેપઃ મોરબીમાં PGVCL ના નાયબ ઇજનેર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-11-08 09:42:03
અમરેલીમાં સહાયની રાહ જોતાં ખેડૂતોનો આક્રોશ: બગડેલો પાક સળગાવ્યો | 2025-11-07 19:30:56