Fri,26 April 2024,1:36 am
Print
header

દિલ્હીમાં સ્કૂલ બેગ બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગમાં 43નાં મોત-અનેક ઘાયલ, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

દિલ્હીઃ અનાજ માર્કેટ પાસે આવેલી સ્કૂલ બેગ બનાવતી એક ફેક્ટરીમાં લાગેલી ભયંકર આગમાં અત્યાર સુધી 43 લોકોનાં મોતની પૃષ્ટી થઇ છે, રાણી ઝાંસી રોડ વિસ્તારમાં સવારે 5 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, અંદાજે 40 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ પહોંચી ગઇ છે અને લાખો લિટર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરવાના પ્રયાસ થઇ રહ્યાં છે.

આ ફેક્ટરીમાં સ્કૂલ બેગ બનતી હોવાથી કાપડ સહિતની વસ્તુઓનો મોટો જથ્થો અહી પડ્યો હતો, જેના કારણે આગ વધુ ભયાનક બની હતી, લોકો વહેલી સવારે ઉંઘમાં હતા ત્યારે જ આગ લાગતા મોતનો આંકડો વધી ગયો છે, કેટલાક લોકો કંઇ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ, ઘટનાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારોને આશ્વાસન આપ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch