Tue,23 April 2024,4:20 pm
Print
header

આવી રહ્યું છે વધુ એક વાવાઝોડુ, જાણો ક્યાં અને ક્યારે ટકરાશે ?

ઓડિશાઃ તૌકતે બાદ વધુ એક વાવાઝોડું આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમાર જેનામનીએ જણાવ્યું છે કે આંદોમાનના ઉત્તરીય ભાગ અને પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં ‘યાસ’ નામનું બીજું એક વાવોઝોડું સર્જાઈ રહ્યું છે. 22 મેના દિવસે લો પ્રેશર અને 23 મીએ ડિપ્રેશન શરુ થશે,24 અને 25 મેના રોજ યાસ ચક્રવાતી તોફાન બની જશે. 26 મે ની આસપાસ ખાસ કરીને ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં પર ત્રાટકશે તથા ત્યાં ભારે વરસાદ થશે.

26 મે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં આવનારા વાવાઝોડાને યાસ નામ અપાયું છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી એમ.રાજીવને જણાવ્યું કે 23 મે ના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી સર્જાશે. તે ચક્રવાતમાં ફેરવાશે અને ઓડિશા તથા પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે. યાસ વાવાઝોડાને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને આસામ પર અસર પડશે. ગુજરાત પર તેની નહિવત અસર થવાની ધારણા છે.

તૌકતેની સ્થિતિ શું છે ?

હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું કે તૌકતે હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસે છે અને ત્યાંથી તે યુપી જવાની શક્યતા છે ગુજરાતમાં હાલમાં સામાન્ય સ્થિતિ છે કેટલાક ઠેકાણે હળવો વરસાદ પડી શકે છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ચક્રવાતને કારણે ચોમાસા પર કોઈ અસર નહીં પડે. બીજી તરફ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch