ઓડિશાઃ તૌકતે બાદ વધુ એક વાવાઝોડું આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમાર જેનામનીએ જણાવ્યું છે કે આંદોમાનના ઉત્તરીય ભાગ અને પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં ‘યાસ’ નામનું બીજું એક વાવોઝોડું સર્જાઈ રહ્યું છે. 22 મેના દિવસે લો પ્રેશર અને 23 મીએ ડિપ્રેશન શરુ થશે,24 અને 25 મેના રોજ યાસ ચક્રવાતી તોફાન બની જશે. 26 મે ની આસપાસ ખાસ કરીને ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં પર ત્રાટકશે તથા ત્યાં ભારે વરસાદ થશે.
26 મે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં આવનારા વાવાઝોડાને યાસ નામ અપાયું છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી એમ.રાજીવને જણાવ્યું કે 23 મે ના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી સર્જાશે. તે ચક્રવાતમાં ફેરવાશે અને ઓડિશા તથા પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે. યાસ વાવાઝોડાને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને આસામ પર અસર પડશે. ગુજરાત પર તેની નહિવત અસર થવાની ધારણા છે.
તૌકતેની સ્થિતિ શું છે ?
હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું કે તૌકતે હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસે છે અને ત્યાંથી તે યુપી જવાની શક્યતા છે ગુજરાતમાં હાલમાં સામાન્ય સ્થિતિ છે કેટલાક ઠેકાણે હળવો વરસાદ પડી શકે છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ચક્રવાતને કારણે ચોમાસા પર કોઈ અસર નહીં પડે. બીજી તરફ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા પાંચ લોકોને મળી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં અનોખી | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે! બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં જ અથડાયા, 10 લોકોનાં મોત થઇ ગયા | 2024-04-23 10:37:09
અમેરિકાના એરિઝોનામાં બે વાહનો વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત | 2024-04-23 09:32:15
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યા છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02