નવી દિલ્હી: શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ ચક્રવાત Ditwah ઝડપથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આજે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જારી કર્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 14 NDRF ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. ચક્રવાત Ditwah શ્રીલંકામાં 150 લોકોના જીવ લીધા છે. ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે. દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર શ્રીલંકા અને તમિલનાડુના દરિયાકાંઠા પર ચક્રવાત Ditwah છેલ્લા છ કલાક દરમિયાન લગભગ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે.
ચક્રવાત Ditwah ભારતમાં ક્યારે પહોંચશે ?
હવામાન વિભાગની આગાહી મુજબ, ચક્રવાત Ditwah આગામી 24 કલાકમાં ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાની સમાંતર ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે. Ditwah હાલમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે 30 નવેમ્બરના રોજ સવારે 2.30 વાગ્યે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકા અને તમિલનાડુના દરિયાકાંઠા પર કેન્દ્રિત હતું.
જે પુડુચેરીથી લગભગ 160 કિલોમીટર દક્ષિણ અને દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 250 કિલોમીટર દક્ષિણમાં હતું. ઉત્તરથી આગળ વધીને,ચક્રવાત Ditwah 30 નવેમ્બરની સવાર અને સાંજ સુધીમાં દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે અનુક્રમે 50 કિમી અને 25 કિમીના અંતરે કેન્દ્રબિંદુમાં રહેશે.
તમિલનાડુના આ વિસ્તારોમાં ક્યાં અસર જોવા મળી ?
પ્રાદેશિક હવામાન કેન્દ્રની આગાહી મુજબ, રવિવારે મોટાભાગનો વરસાદ ઉત્તર તમિલનાડુમાં કેન્દ્રિત રહેશે. 1 ડિસેમ્બરથી વરસાદ અને પવન ધીમે ધીમે ઘટશે. ચક્રવાતને કારણે શુક્રવાર રાતથી તમિલનાડુના ઘણા દક્ષિણ દરિયાકાંઠાના અને ડેલ્ટા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઉભા પાકને નુકસાન થયું છે.
કોલંબો એરપોર્ટ પર લગભગ 300 ભારતીયો ફસાયા
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખીને ચક્રવાત Ditwah ને કારણે શ્રીલંકામાં ફસાયેલા ભારતીયોને રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ સહાયની માંગ કરી હતી. પત્રમાં જણાવ્યું હતું કે ચક્રવાત Ditwah ને કારણે શ્રીલંકાના કોલંબોમાં આવેલા બંદરનાયકે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ભારે અરાજકતા સર્જાઈ છે, જેના કારણે લગભગ 300 ભારતીય મુસાફરો ફસાયા છે. તેમાંથી ઘણા કેરળના રહેવાસી છે. ભારતીય મુસાફરો છેલ્લા ત્રણ દિવસથી ફસાયેલા છે અને તેમની પાસે પૂરતો ખોરાક, પાણી કે મૂળભૂત સુવિધાઓ નથી. અમે ફસાયેલા લોકોની દુર્દશા અંગે ચિંતિત છીએ. કેરળ સરકાર તમામ જરૂરી મદદ પૂરી પાડવા તૈયાર છે. તમે પણ તાત્કાલિક આ મામલે મદદ મોકલશો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
CBSE એ ધોરણ 10 માટે આ નિયમો બનાવ્યાં. જો વિદ્યાર્થીઓ પરીક્ષામાં આ ભૂલો કરશે તો તેમને ગુણ આપવામાં આવશે નહીં | 2025-12-10 19:51:59
અમિત શાહના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું - ઘૂસણખોરો CM અને PM નક્કી નહીં કરે | 2025-12-10 19:24:36
હું મરવા નથી માંગતો, હું મારી પત્ની અને બાળકોને પ્રેમ કરું છું.. રાહુલે વીડિયો બનાવીને મોતને ભેટી પડ્યો | 2025-12-10 15:05:06
કોંગોના દક્ષિણ કિવુમાં બળવાખોરોનો મોટો હુમલો, 400 થી વધુ નાગરિકો માર્યા ગયાનો દાવો | 2025-12-12 10:40:27