- પીડિતાએ તેની માતાને દુખાવાની ફરિયાદ કરી હતી
- તબીબી તપાસમાં આંતરિક ઈજાને કારણે ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું
- બાળકીના ગુપ્તાંગમાં પેન નાખવામાં આવી હોવાના આરોપ
રાજકોટઃ એક શિક્ષિકા વિરુદ્ધ ચાર વર્ષની વિદ્યાર્થીનીને માર મારવા અને તેના ગુપ્તાંગને ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યાં અનુસાર પીડિતાએ તેની માતાને દુખાવાની ફરિયાદ કરી હતી. તબીબી તપાસમાં આંતરિક ઈજાને કારણે ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું.
POCSO હેઠળ કેસ નોંધાયો
શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનાં મિત્તલ નામનાં શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. 11-12 એપ્રિલના રોજ માતાની ફરિયાદના આધારે ખાનગી શાળાના 42 વર્ષીય શિક્ષિક વિરુદ્ધ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોક્સો) કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
શિક્ષકે તેને માર માર્યો
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે જણાવ્યું હતું કે બાળકીની માતાએ કહ્યું છે કે તેમની પુત્રીએ કહ્યું હતું કે શિક્ષકે તેને માર માર્યો હતો. બાળકી બરાબર બોલી શકતી નથી. શિક્ષિકાએ તેના પરના આરોપોને નકારી કાઢ્યા છે.
વર્ગખંડના સીસીટીવી ફૂટેજ જાહેર કરાયા
શાળાએ 11 એપ્રિલના વર્ગના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા અને દાવો કર્યો કે આવી કોઈ ઘટના બની નથી. દરમિયાન NSUI ના સભ્યોએ ગુનેગાર સામે કડક કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શન બાદ તેમાંથી કેટલાકને થોડા સમય માટે અટકાયતમાં રાખવામાં આવ્યાં હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45
ગુજરાતમાં કુદરતી આફત: ગીર પંથકમાં મિની વાવાઝોડું અને માવઠું, કેરી સહિતના તૈયાર પાકો પર જોખમ | 2026-05-06 17:09:36
દ્વારકાથી સોમનાથ જતી બસ પલટી જતા 2 શ્રદ્ધાળુઓનાં મોત, નીલગાયને કારણે થયો અકસ્માત | 2026-05-02 17:54:45