Fri,19 April 2024,8:24 pm
Print
header

કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાનું કોરોનાથી નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

જયપુરઃ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ પહાડિયાનું મોડી રાતે નિધન થયું છે. રાજ્ય સરકારે તેમના નિધન પર એક દિવસના શોકની જાહેરાત કરી છ. તેઓ કોરોનાથી સંક્રમિત હતા. તેમના મોત પર રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

અશોક ગેહલોતે ટ્વીટ કરીને લખ્યું, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ પહાડિયાના નિધનની ખબર દુખદ છે. તેમણે મુખ્યમંત્રી, રાજ્યપાલ અને કેન્દ્રી મંત્રી તરીકે લાંબા સમય સુધી દેશની સેવા કરી હતી તેઓ દેશના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક હતા.

89 વર્ષીય પહાડિયા રાજસ્થાનના પ્રથમ દલિત મુખ્યમંત્રી હતા બાદમાં તેઓ બિહાર અને હરિયાણાના રાજ્યપાલ પણ રહ્યાં હતા. આશરે 13 મહિના સુધી તેઓ રાજસ્થાનના સીએમ રહ્યાં હતા. તેમણે રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી હતી 1957, 1967, 1971 અને 1980માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1980, 1985, 1990 અને 2003માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પીએમ મોદીએ શોક વ્યક્ત કરતાં લખ્યું, તેમના સોશિયલ એમ્પાવરમેન્ટના યોગદાનને ક્યારેય નહીં ભૂલવામાં આવે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch