Fri,19 April 2024,7:13 pm
Print
header

PM મોદી કોરોનાની સ્થિતિને લઈને બુધવારે 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે વાત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા થોડા દિવસોથી રોજના હજારો કેસ નોંધાઈ રહ્યાં છે. દેશમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા 53 લાખને પાર થઈ ગઈ છે. હાલ અનલોક 4 (Unlock-4) પૂર્ણ થવા તરફ છે,ત્યારે કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રી મોદી(PM Modi) આગામી સપ્તાહે બુધવારે સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને સમીક્ષા કરી શકે છે.

હાલ આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, 23 સપ્ટેમ્બરે પીએમ મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચુઅલ બેઠક થવાની સંભાવના છે. બેઠકમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થશે.

પ્રધાનમંત્રી દેશમાં કોરોના મહામારીની સમીક્ષા માટે નિયમિત બેઠક કરતા રહે છે. આ બેઠકમાં જ્યાં વધારે ગંભીર સ્થિતિ હોય તેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર વધારે ધ્યાન આપવામાં આવે છે.આ પહેલા મોદીએ કોવિડ-19 (Covid19) સંબંધી સ્થિતિની સમીક્ષા માટે 11 ઓગસ્ટે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ તથા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch