છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 27 દર્દીઓને મોત
અમદાવાદ: ધીમે ધીમે રાજ્યમાં કોરોના પર કાબુ મેળવવામાં રાજ્ય સરકારને થોડી સફળતા મળી રહી હોય તેમ દેખાઇ રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ કોરોનાનાં નવા 1034 કેસ નોંધાયા છે. સારવાર દરમિયાન 27 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં 238 કેસ નોંધાયા છે,નવ દર્દીઓના મૃત્યું થયા છે. અમદાવાદ શહેરમાં નવા 151 કેસ નોંધાયા છે. પાંચ દર્દીઓના મરણ થયા છે.વડોદરામાં હવે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આજે 118 કેસ નોંધાયા છે. રાજકોટમાં પણ હવે કોરોના સંક્રમણની સ્થિતિમાં વધારો થઇ રહ્યો છે અને આજે નવા 90 કેસ નોંધાયા છે.ત્યારે જામનગરમાં 26, જૂનાગઢમાં 45 કેસ નોંધાયા છે. અન્ય શહેરોની વાત કરીએ તો ખેડામાં 21, અમરેલી અને પંચમહાલમાં 20-20 કેસ, ગાંધીનગરમાં 32, ભરૂચમાં 19 કેસ નોંધાયા છે.
અન્ય રાજયોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 10309 કેસ નોંધાયા છે, દેશના સૌથી વધારે કેસ અહીં નોધાયેલા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં 10128 કેસ, કર્ણાટકમાં 5819, તમિલનાડુમાં 5175, ઉત્તર પ્રદેશમાં 4076, બિહારમાં 2982, પશ્ચિમ બંગાળમાં 2816, આસામમાં 2284, અને કેરળમાં 1195 કેસ નોંધાયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29