Thu,25 April 2024,6:09 am
Print
header

સુરતમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, ગોપાલ ઈટાલિયા સહિત આપના કાર્યકર્તાઓને માર મરાયો- Gujarat Post

સુરતઃ ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા ગયેલા આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી.મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે ભેગા થયા હતા, ત્યાં આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મોટી ઝપાઝપી થતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.ગઇ કાલે કોર્પોરેશનમાં આપના કાર્યકર્તાઓને પોલીસ અને માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. સુરતમાં ગઇકાલે થયેલી ઝપાઝપીને લઇને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આજે  દેખાવો કર્યો હતો. આપના કાર્યકરોએ ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કરતા ભાજપના કાર્યકરો ગુસ્સે ભરાઇને મારામારી પર ઉતર્યાં હતા. 

પોલીસની હાજરીમાં જ ભાજપના કાર્યકરોએ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા અને અન્ય કાર્યકર્તાંઓને માર માર્યો હતો. માર્શલોએ નગરસેવક ઘનશ્યામ મકવાણાનું ગળું દબાવ્યું હતું. મહિલા નગરસેવક કુંદન કોઠિયાનાં કપડાં ફાડી નાખ્યાંના પણ આક્ષેપો થયા છે. કનુ ગેડિયાને માર મારી કપડાં ફાડી નાખ્યાં હતા, રચના હીરપરાને મોઢાના ભાગે મુક્કો વાગતાં ઇજા પહોંચી હતી. તમામને સ્મીમેરમાં સારવાર માટે લઇ જવાયાં છે. વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યાં હતા. જેને લઇને કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હવે આજે બંને પક્ષો વચ્ચે મોટું ઘર્ષણ થતા આપે ભાજપ પર આક્ષેપ કર્યાં છે કે પોલીસ અને ભાજપ સાથે મળીને તેમને માર મારી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch