અમદાવાદઃ ‘હાર્ટ ફેલ્યોર’ એક ડરામણો શબ્દ છે, આ એવી સ્થિતિ છે જેને ક્યારેય હળવાશમાં ન લેવી જોઇએ કારણ કે મોટાભાગે આ કોઇ અન્ય જાનલેવા બીમારીઓનું કારણ બની જાય છે.જો કે ઘણા લોકો આ રોગના નિદાન પછી પણ દવાઓ અને સ્વસ્થ જીવનશૈલીને અપનાવીને સામાન્ય જીવન જીવી શકે છે.
કેમ થાય છે હાર્ટ ફેલ્યોર ? હાર્ટ ફેલ્યોર ત્યારે થાય છે જ્યારે હ્રદયની માંસપેશિયાો લોહીને યોગ્ય રીતે પમ્પ નથી કરી શકતી. ધમનીઓ સંકોચાવા, ઉચ્ચ લોહિના દબાણને કારણે હ્રદય ધીમે ધીમે નબળું પડવા લાગે છે અને તેના પમ્પ કરવાની ક્ષમતા ઘટતી જાય છે. હાર્ટ ફેલ્યોરના દર્દીને મોટાભાગે જલદી થાક લાગે છે, તેઓ પોતાના રોજબરોજના કામ કરવામાં થાક લાગે છે, તેના કેટલાક અન્ય લક્ષણ છે, શ્વાસ ફુલવા, પગ કે પગમાં સોજો આવવો.
જોખમના કારણ શું છે?
– જો કે આજકાલ યુવાઓ-વયસ્કોમાં હાર્ટ ફેલ્યોરના કેસ વધી રહ્યા છે, પરંતુ મોટી ઉંમરના લોકોમાં આની સંભાવના વધારે હોય છે.
– જે લોકોના માતા-પિતા કે પરિવારમાં દિલની બીમારીઓનો ઇતિહાસ હોય, તેમાં હાર્ટ ફેલ્યોરની સંભાવના વધારે હોય છે.
– જન્મજાત દિલની બીમારીઓ કે દિલનાં વૉલ્વની બીમારીઓથી પીડિત દર્દીઓમાં આની સંભાવના વધુ હોય છે.
– લોહીના ઉચ્ચ દબાણથી આની સંભાવના વધે છે, કારણ કે આવા કિસ્સામાં હ્રદયને પમ્પ કરવા માટે કામ કરવું પડે છે.
– વધારે પડતા તમાકુ કે શરાબનું સેવન
– ઓબેસિટી કે સ્થૂળતા
– હ્રદયના અનિયમિત ધબકારા
– સ્લીપ એપ્રિયા કે ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં મુશ્કેલી
– ડાયાબિટીસ
હાર્ટ ફેલ્યોરનો શું છે ઇલાજ ?
ન્યૂયોર્ક હાર્ટ એસોસિએશન ક્લાસીફિકેશન (NYHA Class 1-4) અનુસાર હાર્ટ ફેલ્યોરની ચાર અવસ્થા હોય છે અને તેનો ઇલાજ અલગ-અલગ અવસ્થાઓમાં અલગ રીતે કરવામાં આવે છે. કારણ કે એકવાર જ્યારે દર્દી આગલી અવસ્થામાં પહોંચી જાય છે તો પાછળની અવસ્થામાં નથી પાછો ફરી શકતો. એટલે કે એક વાર સી અવસ્થામાં પહોંચ્યા બાદ બી કે એમા આવવાનું સંભવ નથી હોતું. એટલે બીમારી પર નજર રાખવી અને સારવાર ઘણું જ મહત્વપૂર્ણ છે. શરૂઆતી અવસ્થાઓમાં, દવાઓ તેમજ જીવનશૈલી દ્ધારા સારવારની સલાહ આપવામાં આવે છે. પરંતુ એડવાન્સ્ડ અવસ્થામાં સ્થિતિની ગંભીરતાને જોતાં સર્જરી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કે ડિવાઇસ ઇમ્પ્લાન્ટેશન જેમ કે એલવીએડી (left ventricular assist device)ની જરૂરીયાત પડી શકે છે. એલવીએડી બેટરથી સંચાલિત એક મિકેનિકલ પમ્પ હોય છે, જેને સર્જરી દ્ધારા હ્રદયની ડાબી ચેમ્બરમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જેથી હ્રદય ઠીકથી લોહીને પમ્પ કરી શકે. આ એવા દર્દીઓ માટે વ્યવહારિક વિકલ્પ છે, જે એડવાન્સ્ડ અવસ્થાના હાર્ટ ફેલ્યોરના કારણે દવાઓથી સાજા નથી શકતા. આ તેમના માટે પણ સારો વિકલ્પ છે જે અનેક કારણોથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં સક્ષમ નથી.
આ ઉપાયો અપનાવીને બચી શકો છો:
હાર્ટ ફેલ્યોરના ઘણાં કારણોથી બચવાનું સંભવ નથી, પરંતુ નીચેના ઉપાયો અપનાવીને જોખમથી બચી શકાય છેઃ
– જે મગજ અને શરીરની કાર્યપ્રણાલીમાં અવરોધ પહોંચાડે એવા પદાર્થોના સેવનથી બચો. ધ્રુમપાન અને ડ્રગ્સથી બચો.
– શરાબનું સેવન સીમિત માત્રામાં કરો. જો કે સારૂ રહેશે કે તમે આ સેવનથી બચો.
– હ્રદયને સારુ રાખવા માટે વ્યાયામ જરુરી છે. શરીરની ક્ષમતા અનુસાર કસરત કરો.
– સ્વાસ્થ્યપ્રદ અને સંતુલિત આહાર લો, જેમાં ફળ, શાકભાજી, અનાજ, ઓછા ફેટથી યુક્ત ડેરી ઉત્પાદ, સ્કિનલેસ પોલ્ટ્રી અને ફિશ, મેવા યોગ્ય માત્રામાં હોય.
– સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટ, કૉલેસ્ટ્રૉલ, સોડિયમ અને મીટ, મીઠાઇઓ, ખાંડ યુક્ત પીણાનું સેવન નિયંત્રણમાં કરો.
– પોતાના લક્ષણોને ઓળખો અને કોઇપણ પ્રકારની સમસ્યા થાય તો તરત ડોક્ટરની સલાહ લો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46