Tue,16 April 2024,11:43 pm
Print
header

પાટીલે જનતાને કહ્યું આંખમાં તેલ નાખીને જાગતા રહેજો, આપવાળા છેતરવા આવ્યાં છે- Gujaratpost

અર્બન નક્સલ લોકોને ટિકિટ આપે તેવા લોકોને ગુજરાતમાં ઘૂસવા પણ ન દેવાય

ચૂંટણી આવી એટલે આવી પાર્ટીઓ ગુજરાતમાં સત્તા મેળવવા માટે સક્રિય બની ગઇ
 
વડોદરા:
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે.આજે વડોદરાના કપુરાઈ ચાર રસ્તા પાસે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે જિલ્લા ભાજપ દ્વારા કાર્યાલયનું  ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ તકે કાર્યકરોને સંબોધતા પાટીલે કહ્યું, એક પાર્ટી ભાડાના ટટ્ટુઓને રાખીને વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરાવી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. અર્બન નક્સલી લોકોને આ પાર્ટી ટિકિટ આપે છે. આવી પાર્ટીનું ગુજરાતમાં કોઇ સ્થાન નથી. તેમણે જનતાને કહ્યું, આંખમાં તેલ નાખીને જાગતા રહેજો.

ભાજપ પ્રદેશ પ્રમુખે વધુમાં કહ્યું કે, ચૂંટણી આવી એટલે આવી પાર્ટીઓ ગુજરાતમાં સત્તા મેળવવા માટે સક્રિય બની ગઇ છે. જેમ ચોમાસામાં વરસાદ પડે અને દેડકા બહાર આવે, તેમ પાર્ટીઓ આવી છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાંધીનગરમાં પોતાના મેયર બનાવવાના સપના જોતી હતી. તે પાર્ટીનો માત્ર એક જ ઉમેદવાર જીત્યો છે અને આ પાર્ટી હવે ગુજરાતમાં સત્તા મેળવવાનાં સપનાં જોઇ રહી છે. પરંતુ, ગુજરાતની પ્રજા આવા લોકોને સારી રીતે ઓળખે છે.

સીઆર પાટીલે વધુમાં કહ્યું, ગુજરાતમાં 5.50 લાખ સરકારી નોકરીઓ છે, ત્યારે આ પાર્ટી 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાની વાતો કરી રહી છે. આ પ્રકારે હળાહળ જુઠ્ઠું બોલનારાઓથી સાવધાન રહેજો, નર્મદાના નીરથી કચ્છના અને સૌરાષ્ટ્રના લોકોને 15 વર્ષ વંચિત રાખ્યા તેવા મેઘા પાટકરને આમ આદમી પાર્ટીએ લોકસભાના ઉમેદવાર બનાવ્યાં હતા. અર્બન નક્સલ લોકોને પાર્ટી ટિકિટ આપે છે. તેવા લોકોને ગુજરાતમાં ઘૂસવા પણ ન દેવાય, આંખમાં તેલ નાંખીને જાગતા રહેજો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch