રાજકોટ: ઉત્તરાયણના પર્વ સમયે પોતાના વતનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી ભેટ આપી છે. રાજકોટના લોકોને ટૂંક સમયમાં જ એક અત્યાધુનિક બસ સ્ટેશન મળવા જઈ રહ્યું છે. આ અંગે સત્તાવાર જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. રૂપાણી સરકારના નિર્ણય અનુસાર રાજકોટમાં માધાપર ચોકડી પાસે નવું બસ સ્ટેશન નિર્માણ પામશે.આ બસ સ્ટેશન બનાવવા માટે માધાપર ચોકડી નજીક જમીન ફાળવવા આદેશ પણ કરવામાં આવ્યાં છે.
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર સુપ્રસિદ્ધ માધાપર ચોકડી ખાતે 6,800 ચોરસ મીટર વિસ્તારમાં અત્યાધુનિક બસ સ્ટેશન બનાવવા માટે જમીન ફાળવવા રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો છે. જામનગર રોડ પર આ બસ સ્ટેશન બનતા ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ જશે. નિર્ણયથી રાજકોટના લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. રાજકોટમાં સરકાર દ્વારા કરેલા અનેકવિધ વિકાસ કાર્યોને લીધે છેલ્લા કેટલાક સમયથી શહેર સતત સમૃદ્ધિ અને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આ નિર્ણયથી સોનામાં સુગંધ ભળ્યાં જેવો ઘાટ ઘટાડો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45