Wed,15 July 2026,1:00 am
Print
header

સુરત બરબાદ થયા પછી સરકાર જાગી, ખાડી વિકાસ માટે રૂ 500 કરોડ મંજૂર કર્યાં

  • Published By dilip patel
  • 2026-07-09 18:00:45
  • /

ક્ષતિઓ સુધારવા તાત્કાલિક એક્શન પ્લાનનો આદેશ

સુરતઃ બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યાં હતા. તેમણે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને જનજીવન ઝડપથી પૂર્વવત કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ રોકવા માટે મહત્વના નિર્ણયો લીધા હતા.

સુરતમાં વારંવાર સર્જાતી ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ અને ખાડી ડેવલપમેન્ટના લાંબાગાળાના આયોજન માટે રાજ્ય સરકાર રૂ. 500 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. ભારે વરસાદ અને પૂર દરમિયાન વહીવટી તંત્રમાં જે ક્ષતિઓ સામે આવી છે, તેનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે તંત્રને તાત્કાલિક એક્શન પ્લાન બનાવીને અમલમાં મૂકવા તાકીદ કરી છે.

તમામ વરસાદી અસરગ્રસ્તોને કેશ ડોલ્સ અને ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવા વહીવટી તંત્રને નિર્દેશ આપ્યાં હતા. પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં સાફસફાઈ, રોગચાળો ન ફેલાય તે માટેના રોગ નિયંત્રણ પગલાં અને બચાવ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કોઈ પણ કુદરતી આપત્તિ સમયે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સેતુરૂપ બને તે જરૂરી છે. તમામ વિભાગો પરસ્પર સંકલન સાધીને કામ કરે. રાજ્ય સરકાર ચોમાસા દરમિયાન કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા સુરત તંત્રની સાથે છે અને નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch