Sat,08 August 2026,9:18 pm
Print
header

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ, પથ્થરમારા બાદ ટીયર ગેસના શેલ છોડાયા

  • Published By dilip patel
  • 2026-07-25 14:48:37
  • /

પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર પાણીની બોટલો અને પથ્થરો ફેંક્યા

જંતર મંતર પર અફરા-તફરી  સર્જાઈ હતી

નવી દિલ્હીઃ જંતર-મંતર પર બપોરે ફરી એક વાર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરો ફેંકતા પરિસ્થિતિ વણસી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને અર્ધસૈનિક દળની ટીમે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન શનિવારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ અણધારી ઘટનાને કારણે સ્થળ પર અફરા-તફરી મચી હતી. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે સીધી અથડામણ જોવા મળી હતી.

પોલીસે પ્રદર્શનકારીઓની ભીડને વિખેરવા માટે ટીયર ગેસના અનેક શેલ છોડ્યા હતા. જેના જવાબમાં પ્રદર્શનકારીઓએ પણ પોલીસકર્મીઓ પર પાણીની બોટલો અને પથ્થરો ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન સ્થળે સતત તણાવપૂર્ણ સ્થિતિ બનેલી રહી, જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

પ્રદર્શનકારીઓ વચ્ચે અચાનક ધક્કામુક્કી થઈ હતી, જેના કારણે ઘણા લોકો પોતાની સુરક્ષા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા. આ હિંસક ઝડપ ખાસ કરીને પાર્ક હોટલ સામે સંસદ માર્ગ અને ટૉલસ્ટૉય માર્ગના ટી-પોઈન્ટ પર થઈ હતી.  

ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યાં છે, પ્રદર્શનકારીઓ નીટ પેપર લીક મુદ્દે પોતાની માંગણીઓને લઈને મક્કમ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch