CBSE એ પોતાની ભૂલ સ્વીકારી અને વેદાંતની મૂળ નકલ ટપાલ દ્વારા પૂરી પાડી
ગુણ પણ સુધારવામાં આવશે
ગુણ સુધારણામાં અન્ય કોઇની ઉત્તરવાહી આપી દેતા વિવાદ
અનેક વિદ્યાર્થીઓ સાથે થઇ રહ્યો છે અન્યાય
નવી દિલ્હીઃ CBSE 12 ના ધોરણના વિદ્યાર્થી વેદાંતે ફિઝિક્સના પેપરના પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી હતી. ત્યાર બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તેને સ્કેન કરેલી નકલ આપી હતી, વેદાંતે તેના એકાઉન્ટ X પર ટ્વિટ કરીને જણાવ્યું કે CBSE દ્વારા આપવામાં આવેલી નકલ તેની નથી. તેણે સમજાવ્યું કે તેને કોઈ બીજાની નકલના આધારે ભૌતિકશાસ્ત્રમાં 50 ગુણ મળ્યાં છે, જેના પરિણામે તેની પાસ ટકાવારીમાં ઘટાડો થયો છે.
તેમણે વિનંતી કરી હતી કે CBSE તેની ફિઝિક્સની નકલ તપાસે અને નક્કી કરે કે શું ડિજિટાઇઝેશન દરમિયાન નકલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો કે કેમ ?
CBSE એ ભૂલ સ્વીકારી
વિદ્યાર્થીનાં ટ્વીટ બાદ, CBSE એ વેદાંતનો સંપર્ક કર્યો અને તેને મૂળ નકલ પૂરી પાડી. તેના ગુણમાં સુધારો કરવાની ખાતરી આપી. CBSE એ જણાવ્યું છે કે બે કિસ્સાઓમાં આવી ભૂલો મળી આવી છે. વેદાંતની સાથે, બીજા એક વિદ્યાર્થીની ઉત્તરવહીઓમાં આવી જ ભૂલ હતી. આ ભૂલ ટૂંક સમયમાં સુધારી લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને તેમની મૂળ નકલો આપવામાં આવશે.
પોર્ટલની ખામીઓને દૂર કરવા માટે સરકાર IIT અને સ્ટેટ બેંકો (PSBs) નાં નિષ્ણાતોની મદદ લઈ રહી છે. CBSE પુનઃમૂલ્યાંકન પોર્ટલમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવી રહી છે, સરકારે હવે આ ખામીઓને દૂર કરવા માટે IIT અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ (PSBs) ના નિષ્ણાતોને બોલાવ્યાં છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39