Mon,13 April 2026,1:34 pm
Print
header

બાંગ્લાદેશમાં એક બસ પદ્મ નદીમાં ખાબકી, 23 લોકોનાં મોત, અકસ્માતનો વીડિયો તમને ચોંકાવી દેશે

  • Published By Panna Patel
  • 2026-03-26 08:56:02
  • /

રાજબારી: બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં એક પેસેન્જર બસ પદ્મ નદીમાં ખાબકતા 23 લોકોનાં મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક હજુ પણ ગુમ છે. રાજબારીથી ઢાકા જઈ રહેલી બસમાં આશરે 50 મુસાફરો સવાર હતા. આ અકસ્માત બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ દૌલતડિયા ફેરી ટર્મિનલ નંબર 3 ની સામે થયો હતો. બસ ફેરીમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે કાબૂ ગુમાવ્યો અને નદીમાં પડી ગઈ હતી. 

રાત્રિના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો

પોલીસના જણાવ્યાં અનુસાર અત્યાર સુધીમાં 23 મૃતદેહો મળી આવ્યાં છે. કેટલાક લોકો હજુ પણ ગુમ છે, કેટલાક મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર સર્વિસ, નેવી, પોલીસ અને અન્ય ટીમોના સહયોગથી બચાવ કામગીરી ચાલી રહી છે. 

અમારી નજર સમક્ષ પત્ની અને પુત્ર નદીમાં ડૂબી ગયા

બચાવ જહાજ હમઝાએ છ કલાક પછી ડૂબેલી બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી. રાત્રે 11.15 વાગ્યે બસનો એક ભાગ દેખાતો હતો અને રાત્રે 11.30 વાગ્યે ક્રેનની મદદથી આખી બસને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં બચી ગયેલા એક મુસાફરે કહ્યું કે તે તરીને કિનારે પહોંચ્યો હતો, પરંતુ તેની પત્ની અને પુત્ર તેની નજર સમક્ષ ડૂબી ગયા હતા. 

પદ્મ નદીના કિનારે સગાસંબંધીઓના ટોળા એકઠા થયા

પદ્મા નદીના કિનારે અકસ્માત સ્થળે રડતા સગાસંબંધીઓ ભેગા થયા હતા, તેમને આશા હતી કે તેમના પ્રિયજનો જીવતા મળી આવશે. ફાયર સર્વિસના ડાઇવર્સ, નૌકાદળ અને પોલીસ ટીમો બચાવ કામગીરી હાથધરી છે, પરંતુ અકસ્માત રાત્રે થયો હતો, જેના કારણે નોંધપાત્ર પડકારો ઉભા થયા છે. બસ સૌહાર્દો ટ્રાન્સપોર્ટની માલિકીની હોવાનું કહેવાય છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમો ઘટનાસ્થળે સક્રિય છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch