ઝેરી દારૂ પીવાથી 23 લોકોનાં મોત
કલેકટરએ પણ સમીક્ષા બેઠક કરી
દારૂમાં વપરાયેલું કેમિકલ ચોરીનું હોવાનો થયો ખુલાસો
બોટાદઃ લઠ્ઠાકાંડમાં હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે.અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થઇ ગયા છે, જેમાં બરવાળા CHC સેન્ટર અને ભાવનગરમાં સારવાર લઇ રહેલા લોકોના મોત થયા છે.બરવાળા CHC સેન્ટરમાં 29 લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. બાદમાં તેમને અન્ય જગ્યાએ લઇ જવાયા છે.
બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. આ મામલે મોડી રાત્રે બોટાદ કલેક્ટર બરવાળા પહોંચ્યાં હતા. તેઓએ બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. ઝેરી દારૂથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અંગે પણ માહિતી મેળવી હતી. મોડી રાત સુધી અસરગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવાનું ચાલુ હતું. કલેક્ટર બીજલ શાહે સરકારી હોસ્પિટલમાં સમીક્ષા બેઠક કરીને અધિકારીઓ સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
લઠ્ઠાકાંડ મામલે બોટાદ SP કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આ લઠ્ઠાકાંડમાં વપરાયેલું કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો થયો છે. દારુમાં વપરાયેલ કેમિકલ ચોરી કરાયું હતું. લાંભા અટકાયત કરવામાં આવેલો શખ્સ આ કેમિકલ ચોરી કરીને રિક્ષામાં અહીં લાવ્યો હતો. હાલમાં આ મામલે રાણપુર અને બરવાળા ગામે તપાસ ચાલી રહી છે. દેશી દારુને લઇ સ્થાનિક PIને તપાસ માટેના આદેશ અપાયા છે. પરંતુ અહીં તો પોલીસની બેદરકારીને કારણે જ આ સ્થિતી ઉભી થઇ છે તે નક્કિ છે, અનેક પરિવારો આજે બરબાદ થઇ ગયા છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01