Thu,25 April 2024,12:59 pm
Print
header

ભાજપમાં હડકંપની સ્થિતી ! નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી વિજય રૂપાણીને

ગાંધીનગર:રાજ્યમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે શપથવિધી થવાની હતી પરંતુ નેતાઓમાં અસંતોષને કારણે હવે આવતીકાલે નવા મંત્રીઓ શપથ લઇ શકે છે. આ સંજોગોમાં નારાજ પૂર્વ મંત્રીઓ અને નેતાઓને મનાવવાની જવાબદારી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વિજય રૂપાણીના બંગલે નારાજ નેતાઓની  રજૂઆતો સાંભળીને નિરાકરણ લાવવાની પ્રક્રિયા થઇ રહી છે.

નવા મંત્રીમંડળમાં સિનિયર મંત્રીઓને પડતા મુકવાની વાત આવી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કુંવરજી બાવળિયા અને સૌરભ પટેલ જેવા નેતાઓને પડતા મુકવાની વાતથી આ બધા નારાજ થયા હોવાનું સામે આવ્યું છે, જેથી શપથવિધી પણ પાછી ઠેલવવી પડી છે. બીજી તરફ નીતિન પટેલ પણ નારાજ હોવાથી ભાજપની ચિંતા વધી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch