Sat,20 April 2024,7:32 am
Print
header

લેઉવા પાટીદાર બહેનોનો મોટો નિર્ણય, પ્રિવેડિંગ ફોટોશૂટ, બેબીશાવર, રિંગ સેરેમેનીના ખોટા ખર્ચ કરાશે બંધ

પાટણઃ ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજની બહેનો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 28 મેના રોજ પાટીદાર સમાજની બહેનો કુરિવાજોનો બહિષ્કાર કરશે. પ્રિવેડિંગ ફોટોશૂટ, રિસેપ્શન, બેબીશાવર, રિંગ સેરેમેની જેવા ખોટા ખર્ચા બંધ કરશે. શુભ-અશુભ પ્રસંગોમાં કવરની પ્રથા પણ બંધ કરવામાં આવશે. ઉત્તર ગુજરાતની ત્રણ હજાર બહેનો પાટણ ખાતે આ સંકલ્પ લેશે.

1958માં ઘડાયેલા બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના બંધારણ બાદ સૌપ્રથમવાર બહેનો નવું બંધારણ તૈયાર કરશે. ખોટા કુરિવાજો બંધ કરવા પાટીદાર સમાજના ગામોમાં મહિલાઓ બેઠકો કરશે. આવનાર સમયમાં આ ખોટા કુરિવાજો બંધ કરવા પાટીદાર સમાજની મહિલાઓ મક્કમ બની છે. આ સુધારાથી સમાજના લોકોના ખોટા ખર્ચાઓ નહીં થાય.

થોડા મહિના પહેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે મળેલી 54 આંજણા સમાજની મીટિંગમાં અનેક નિર્ણયો લેવાયા હતા. જેમાંનો એક ચર્ચાસ્પદ નિર્ણય યુવાનોને દાઢી રાખવા પર પ્રતિબંધ અને જો દાઢી રાખે તો તેને રૂપિયા 51 હજારનો દંડ કરવાનો હતો. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની મળેલી મીટિંગમાં દાઢી પર પ્રતિબંધ ઉપરાંત 22 જેટલા સામાજિક સુધારાઓને બહાલી આપવામાં આવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch