Thu,25 April 2024,8:10 pm
Print
header

પોતાની પત્નીને ન્યાય ન આપી શકનારા ભરતસિંહને ભગવાન રામની ચિંતા, કહ્યું શિલાઓ પર કૂતરા પેશાબ કરે છે- Gujarat post

ભાજપ ભગવાનના નામનો ઉપયોગ રાજકારણમાં કરે છે

મંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ ભાજપે ન આપ્યો

ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અને ભાજપ અંગે મોટું નિવેદન આપ્યું  

આણંદઃ કોંગ્રેસના વિવાદિત નેતા અને જેમની સામે પોતાની જ પત્નીએ સનસનીખેજ આક્ષેપો કર્યા છે તેવા ભરતસિંહ સોલંકીને લઇને સમાચાર છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે નિવેદન આપતા કહ્યું કે, રામ મંદિર માટે શિલાઓ ભેગી કરી હતી. તે શિલાઓ પર કૂતરા પેશાબ કરતા થઈ ગયા છે. મહિલાઓએ કુમકુમ તિલક કરીને ગામના પાદરે શિલાઓ મૂકી હતી.રામ મંદિર બનશે અને બધા સુખી થઈ જશે તેવું માનતા હતા પરંતુ એવું થયું નહીં, આ રામશીલાઓ લોકોએ ગામે ગામથી કુમ કુમ ચાંદલાઓ અને પૂજા કરીને અયોઘ્યા મોકલી હતી. ભાજપે મંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ આપ્યો નથી, સરકારે મંદિર માટે બજેટ આપ્યું છે છતાં ફરીવાર રૂપિયા ઉઘરાવ્યાં છે.કહ્યું કે હું રામ મંદિરનો પ્રસંશક છું, મારું નામ જ રામના પરિવારજન તરીકે ભરત પાડવામાં આવ્યું હતું.

ભરતસિંહે કહ્યું કે, હિન્દુના નામે ભાગલા પડાવીને રાજ કરનાર ભાજપ સરકારને ઓળખો. બક્ષીપંચ સમાજને સાથે રાખ્યા વગર ચૂંટણી ન જીતી શકાય. ભાજપ સરકારમાં મહત્વના ખાતા ઉજળીયાતોને જ અપાય છે. બક્ષીપંચ સમાજને મત્સ્ય ઉદ્યોગ અને નાના નાના મંત્રાલયો અપાય છે. ભાજપમાં રહેલા આપણા ભાઈઓ જાગીને આ બાજુ આવે તો સારું. એક રીતે પોતાની પત્ની રેશ્મા પટેલને આ ભાઇ ન્યાય આપી શકતા નથી, પત્નીએ આરોપ લગાવ્યો છે કે ભરતસિંહના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધ છે અને તેઓ વારંવાર મને ધમકી આપે છે, રેશ્મા પટેલે અનેક વખત મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી છે, ત્યારે પોતાની પત્નીને ન્યાય ન આપી શકનારા ભરતસિંહને હવે ભગવાન રામના મંદિરની ચિંતા સતાવે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch