જામનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જામનગર શહેરની હાલત પણ ખરાબ છે. જામનગરમાં અત્યાર સુધીમાં પૂર અને વરસાદના કારણે લગભગ 7 લોકોનાં મોત થયા છે. 500થી વધુ પશુઓએ જીવ ગુમાવ્યાં છે.
મોલના ભોંયરામાં પાણી ભરાયા
પૂર અને વરસાદને કારણે થયેલી તબાહીની સ્થિતિ દયનીય છે. જામનગરના તીન બત્તી ચોક વિસ્તારમાં આવેલા બદરી કોમ્પ્લેક્સમાં ભોંયરામાં હજુ પણ પાણી જમા છે અને ઘણી બધી ગંદકી દેખાઈ રહી છે. જે દુકાનોને નુકસાન થયું છે તે લોકો ટ્રેક્ટરમાં માલ ભરીને બહાર લઇને જઇ રહ્યાં છે.
કાદવથી ભરેલી શેરીઓ
જામનગરમાં શેરીઓ કાદવથી ભરાઇ ગઇ છે. કેટલીક એનજીઓ દ્રારા જરૂરિયાતમંદ લોકોને રોજિંદા જીવન સાથે સંબંધિત કેટલીક આવશ્યક વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘણા લોકો ઘર છોડીને અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે. લોકોના ઘર કચરો અને કાટમાળથી સંપૂર્ણ ભરાઈ ગયા છે.
વરસાદ પછીની સ્થિતિ
આખા જામનગર સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીં દરેક વ્યક્તિ ચિંતિત છે. વરસાદ બાદ પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. સામાન્ય લોકો તેમના ઘરોમાંથી સામાન એકત્ર કરવામાં વ્યસ્ત છે ત્યારે મોટા મોલ અને દુકાનોમાં પણ પાણી ભરાવાને કારણે તમામ સામાન નુકસાન થયું છે. લોકોને ડર છે કે જો સાફ સફાઇ ઝડપથી કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાઇ શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
વધુ એક દુર્ઘટના, માંગરોળના આજક ગામે બ્રિજ તૂટ્યો, 8 જેટલા લોકો નદીમાં પડ્યાં બાદ બચાવ- Gujarat Post | 2025-07-15 09:44:30