Thu,25 April 2024,8:57 pm
Print
header

અમિતાભ બચ્ચનના બંગલો પ્રતીક્ષાની દીવાલ તોડશે BMC, 2017માં આપી હતી નોટિસ

મુંબઇઃ BMCએ રસ્તો પહોળો કરવા માટે અમિતાભ બચ્ચનના બંગલા પ્રતીક્ષાની એક દીવાલ તોડી પાડવા માટે નોટિસ આપી હતી.હવે BMCએ આ નોટિસ પર કાર્યવાહી શરૂ કરી છે 2017માં BMCએ બચ્ચન પરિવારને નોટિસ આપી હતી કે તેમના બંગલાની જમીનનો એક હિસ્સો સંત જ્ઞાનેશ્વર માર્ગ રસ્તાને પહોળો કરવા માટે નડતરૂરપ છે. BMCએ કલેક્ટરને શહરેના સર્વેક્ષણ અધિકારીઓને રસ્તો પહોળો કરવાની યોજના હેઠળ બંગલાના જરૂરી હિસ્સાનું સીમાંકન કરવાનું પણ કહ્યું છે. સંત જ્ઞાનેશ્વર માર્ગ ચંદન સિનેમાને ઈસ્કોન મંદિર તરફ બનેલા લિંક રોડને જોડે છે. હવે આ રોડને પહોળો કરવા માટે બિગ બીના બંગલાની દીવાલને તોડી પડાશે.

BMC એ રસ્તો પહોળો કરવા માટે અમિતાભ બચ્ચનને 2017માં નોટિસ ફટકારી હતી તે સમયે અમિતાભ બચ્ચનના બંગલાની નજીકમાં આવેલા એક પ્લોટની બહારની દીવાલ તોડી પાડવામાં આવી હતી, પરંતુ બિગ બીના બંગલાને કંઈ જ કરવામાં આવ્યું નહોતું. નોટિસ આપવા છતાં અમિતાભે બંગલાની દીવાલ ના તોડતા અનેક સવાલો થયા હતા. આ અંગે BMCના અધિકારીઓએ કોઈ નિવેદન આપ્યું નહોતું. અમિતાભના બંગલા પ્રતીક્ષા આગળ રોડ એકદમ સાંકડો બની જાય છે.આ જ કારણે ત્યાં ટ્રાફિક જામ હોય છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch