Thu,25 April 2024,10:51 am
Print
header

કેજરીવાલનો દાવો, કહ્યું-રાઘવ ચઢ્ઢાની મોદી સરકાર કરાવશે ધરપકડ- Gujarat Post

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  ટ્વિટ કરીને દાવો કર્યો છે કે હવે ભાજપ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરાવશે. રાઘવ ચઢ્ઢાને  ગુજરાતમાં સહ પ્રભારી બનાવાયા છે. હવે આ ભાજપ તેમની ધરપકડની તૈયારીઓ કરી રહી છે. કેજરીવાલે જો કે સ્પષ્ટતા ન હતી કરી કે કઈ એજન્સી ચઢ્ઢાની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે અને રાઘવ ચઢ્ઢા પર શું આરોપ છે.

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપને જીતાડવામાં રાઘવ ચઢ્ઢાની મહત્વની ભૂમિકા  હતી. તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આપના સહ પ્રભારી બનાવાયા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી બનાવાયા છે,  જ્યારથી તેમણે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં જવાનુ શરૂ કર્યુ છે ત્યારથી સંભળાઈ રહ્યું છે કે ભાજપના લોકો ચઢ્ઢાની ધરપકડ કરાવશે.આ લોકો તેની તૈયારીઓ કરી રહ્યાં છે. કયા કેસમાં ધરપકડ કરાશે તેની સ્ક્રિપ્ટ ગોઠવાઈ રહી છે.આ પહેલા દિલ્હીમાં એક્સાઈઝ પોલિસીના કહેવાતા કૌભાંડમાં સીબીઆઈ આપના મીડિયા સેલના નેતા વિજય નાયરની ધરપકડ કરી ચુકી છે. મનિષ સિસોદીયાને ત્યાં પણ સીબીઆઇએ રેડ કરી હતી.

બીજી તરફ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ગુજરાત બદલાવ માંગી રહ્યુ છે. આપની મજબૂતીને જોઇને ભાજપની ઉંઘ ઉડી ગઈ છે.અમે જેલની દિવાલો કે ફાંસીના ફંદાથી ડરવાના નથી.જનતા આ વખતે આપને મોકો આપવાની છે તે નક્કિ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch