નવી દિલ્હીઃ છઠ્ઠ પૂજાને લઈને મુખ્યમંત્રી કેજરીવાલના ઘરની બહાર ભાજપ સાંસદ મનોજ તિવારીએ ધરણા આપ્યાં હતા ત્યારે જ તેમને ગંભીર રીતે ઈજા પહોચી છે. જેને કારણે તેમને દિલ્હીની સફદરગંજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ હોસ્પિટલમાં મનોજ તિવારી સારવાર હેઠળ છે તેમની સારવાર ચાલી રહી છે. તેમને કાનમાં ઈજા પહોચી હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ વર્ષે પણ દિલ્હીમાં નદી કિનારે સાર્વજનિક સ્થળો પર છઠ્ઠ મનાવા પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે.જેનો લોકો ભારે વિરોધ કરતા નજરે પડી રહ્યાં છે.
ભાજપ સાસંદ મનોજ તિવારી પણ ભાજપ નેતાઓ સાથે મળીને વિરોધ કરી રહ્યાં છે. જેમાં તેઓ કેજરીવાલના નિવાસ સ્થાને ધરણા આપી રહ્યાં હતા. દિલ્હી પોલીસે મુખ્યમંત્રી આવાસ આસપાસ બેરિકેડ મુકી દીધા હતા. જેથી પ્રદર્શનકાર્તા સીએમ આવાસ સુધી ન પહોચી શકે. પોલીસનું કહેવું છે જ્યારે પ્રદર્શનકર્તાઓને પોલીસ રોકી રહી હતી. તે સમયે મનોજ તિવારી બેરિકેડ પર ચઢી ગયા હતા. જેથી બેરિકેડ સાથે તેઓ નીચે જમીન પર પટકાયા, જેને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે દિલ્હીમાં ઘણા લોકો તહેવારો પર પ્રતિબંધને લઈને સરકારનો વિરોધ કરી રહ્યાં છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા પણ કેજરીવાલ સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38