દેહરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે રાજ્યના 15 સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી હતી. સ્થાનિક લોકોની લાગણીઓ અને સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું હતું. ભાજપ સરકાર મુજબ લોકો ભારતીય સંસ્કૃતિ અને તેના સંરક્ષણમાં યોગદાન આપનારા મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકે તે માટે આ પગલું ભરવામાં આવ્યું હતું.
હરિદ્વારમાં ભગવાનપુર બ્લોકના ઔરંગઝેબપુરનું નામ બદલીને શિવાજી નગર, બહાદરાબાદ બ્લોકના ગાઝીવાળીનું નામ બદલીને આર્ય નગર, ચાંદપુરનું નામ બદલીને જ્યોતિબા ફૂલે નગર, નરસાન બ્લોકના મોહમ્મદપુર જાટનું નામ બદલીને મોહનપુર જાટ, ખાનપુર કુરસાલીનું નામ બદલીને આંબેડપુર બ્લોક, ખાનપુરનું નામ બદલીને આંબેડપુર બ્લોક કરવામાં આવ્યું હતું. નંદપુર, ખાનપુરનું નામ બદલીને કૃષ્ણપુર અને અકબરપુર ફાજલપુરનું નામ બદલીને વિજયનગર કરવામાં આવ્યું હતું.
દેહરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશનના મિયાંવાલાનું નામ બદલીને રામજીવાલા, વિકાસનગર બ્લોકના પીરવાલાને કેસરી નગર, ચાંદપુર ખુર્દનું નામ બદલીને પૃથ્વીરાજ નગર, સહસપુર બ્લોકના અબ્દુલ્લાપુરનું નામ બદલીને દક્ષાનગર કરવામાં આવ્યું હતું.
નૈનિતાલમાં નવાબી રોડનું નામ બદલીને અટલ માર્ગ રાખવામાં આવ્યું હતું. પંચક્કીથી ITI સુધીના રસ્તાને ગુરુ ગોવલકર માર્ગ નામ આપવામાં આવ્યું હતું.
ઉધમ સિંહ નગરમાં નગર પંચાયત સુલતાનપુર પટ્ટીનું નામ બદલીને કૌશલ્યા પુરી કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ સરકારના આ પગલા પછી કોંગ્રેસ સહિતના વિપક્ષો કટાક્ષ કરી રહ્યાં છે અને આ મામલે રાજનીતિ તેજ બની છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20
ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર થશે તો દેશવ્યાપી આંદોલન થશે: રાકેશ ટીકૈત | 2026-08-09 08:53:03
ગુજરાતમાં ખેડૂતોને ન્યાય ન મળતા હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી, મોરબીના રવાપરમાં 8 ઓગસ્ટે કિસાન મહાસભા | 2026-08-06 18:38:58
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
સુરત ભાજપનો આંતરિક વિવાદ બન્યો હિંસક: MLA કાંતિ બલરની ઓફિસમાં મહિલા કોર્પોરેટર અને પતિ પર હુમલો | 2026-08-05 16:45:26
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57