અમદાવાદઃ અદાણી ગ્રુપે પત્રકાર સામે પોલીસમાં ફરિયાદ કરી છે, ધ વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર રવિ નાયર સામે પોલીસ ફરિયાદ થઇ છે. અદાણી ગ્રૂપમાં ભારત સરકાર અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)દ્વારા 3.9 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે, તેવા સમાચાર આ અમેરિકી અખબારમાં પ્રદર્શિત થયા હતા.
આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી છે, જેમાં અદાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અહેવાલ ખોટા અને બદનામ કરનારા હતા, જેથી પત્રકાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પત્રકારે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યાનો દાવો
નવરંગપુરામાં આવેલા અદાણી હાઉસના ડેપ્યુટી જનરલ મેનેજરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધાવી છે કે, ગત 24મી ઓક્ટોબરના રોજ ધ વોશિંગ્ટન પોસ્ટના ઈ-પેપરમાં એક આર્ટિકલ પ્રકાશિત થયો હતો. આ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર અને જીવન વીમા નિગમ (LIC)અદાણી ગ્રૂપની કંપનીઓમાં જાહેર ભંડોળમાંથી 3.9 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યાં છે. આ અહેવાલમાં ચોક્કસ દસ્તાવેજોનો હવાલો આપીને રોકાણની શરતો, બોન્ડ રેટિંગ અને આંતરિક મંજૂરીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ આર્ટિકલ દિલ્હીમાં રહેતા પત્રકાર રવિ નાયર દ્વારા લખવામાં આવ્યો હતો. આ અહેવાલ સામે આવતા જ LICએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી હતી કે આ સમાચાર ખોટા છે અને LIC પોતાના તમામ રોકાણો નિયમોનુસાર જ કરે છે. એલઆઈસીની આ સ્પષ્ટતાના જવાબમાં રવિ નાયરે સોશિયલ મીડિયા પર કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા. અદાણી ગ્રૂપે જ્યારે આ બાબતે પત્રકાર પાસે ખુલાસો માંગ્યો ત્યારે તેઓએ કોઇ યોગ્ય જવાબ આપ્યો ન હતો, જેથી હવે તેમની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50