Sat,13 June 2026,3:22 pm
Print
header

ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડની ઓફિસમાં જ ગોળી મારીને હત્યા

  • Published By mahesh patel
  • 2026-05-21 19:02:00
  • /

ઇસ્લામાબાદઃ ભારતના એક પછી એક દુશ્મનોનો અજ્ઞાત લોકો ખાત્મો કરી રહ્યાં છે, હવે 2019 પુલવામાના માસ્ટર માઇન્ડ આતંકવાદીની તેની જ ઓફિસમાં હત્યા કરી નાખવામાં આવી છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી છે. 

હમઝા બુરહાન POKના મુઝફ્ફરાબાદમાં આવેલી તેની એક ઑફિસમાં બેઠો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ તેને સિક્યોરિટી પૂરી પાડી હતી. દરમિયાન કેટલાક અજાણ્યા હુમલાખોરો ત્યાં હથિયારો સાથે ધસી આવ્યાં હતા અને હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને ઘટના સ્થળે જ તેનું મોત થઇ ગયું હતુ.

હમઝા બુરહાન મૂળ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરાનો રહેવાસી હતો. વર્ષ 2017માં તે કાશ્મીરમાં સક્રિય આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો હતો, ત્યારબાદ ભારત તે પાકિસ્તાન ભાગી ગયો હતો. પાકિસ્તાનમાં રહીને તે પોતાને એક શિક્ષક તરીકે ઓળખાવતો હતો, પરંતુ પડદા પાછળ આતંકવાદી હતો.

પુલવામા હુમલા બાદ હમઝા PoKના કેમ્પમાં રહીને પાકિસ્તાની આતંકીઓને ભારત વિરુદ્ધ યુદ્ધ હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપતો હતો. આ સિવાય સરહદી વિસ્તારોમાંથી ભારતમાં આતંકીઓની ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch