જામનગર: શહેરમાં 3600 ચો.મીટર વિસ્તારમાં 15 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ અપાવનારા રણજિતસિંહજીનું નામ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ સાથે જોડીને તેને રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ તરીકેની આગવી ઓળખ અપાશે. મુખ્યમંત્રીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમમાં ભારતની રમત-ગમત ક્ષેત્રની સ્વર્ણિમ ક્ષણો ગોલ્ડન મોમેન્ટસ અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
આ મ્યૂઝિયમની વિશેષતાઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ સંગ્રહાલયમાં દેશના અને ગુજરાતના રમતવીરોનો ઇતિહાસ તથા ભારતમાં અને ગુજરાત રાજ્યમાં જન્મેલા નામાંક્તિ રમતવીરો રણજીતસિંહ (ક્રિકેટર), દિલિપસિંહજી (ક્રિકેટર) વગેરે તથા ગુજરાતના અન્ય નામાંક્તિ રમતવીરોની કારકિર્દી અને તેઓએ રમતોમાં મેળવેલ સિદ્ધિઓની પ્રદર્શની દ્વારા ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવા માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરાશે.
રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિમમાં આધુનિક ટેકનોલોજી જેમાં 3D Projection, Holography, Augmented Reality, Sensor Based Sound Mapping, Elegant & Attractive Lighting System વગેરેથી દેશના રમત-ગમમત ક્ષેત્રની ગૌરવગાથાની પ્રસ્તુતિથી હાલની પેઢીના યુવાનો રમત-ગમત પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ સિદ્ધિ મેળવવા માટે પ્રેરિત થશે. વિજય રૂપાણીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રસિદ્ધ સંગ્રહાલય તરીકે આગવી ઓળખ ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
સાથે જ રૂપાણીએ જણીવ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ આગામી 31 જાન્યુઆરી સુધી યથાવત રહેશે અને પછી નવી જાહેરાત કરવામાં આવશે, હાલમાં કોરોનાનું સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ છે
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં જ અથડાયા, 10 લોકોનાં મોત થઇ ગયા | 2024-04-23 10:37:09
અમેરિકાના એરિઝોનામાં બે વાહનો વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત | 2024-04-23 09:32:15
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ગુજરાતના તમામ 26 કમળ પ્રધાનમંત્રીના ચરણોમાં આપીશું, સુરત લોકસભામાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા બાદ પાટીલનું નિવેદન | 2024-04-22 16:59:14
ગુજરાતમાં કોંગ્રેસને પહેલો મોટો ઝટકો, સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરિફ વિજેતા- Gujarat Post | 2024-04-22 15:24:43
ગેનીબેન કહે છે હું ગરીબની દિકરી....ભાજપે કહ્યું 40 વિઘા જમીન, 3 બંગલો, 2 કાર ક્યાંથી આવી ! | 2024-04-21 19:25:41
ભાજપના આક્ષેપો કામ ન આવ્યાં, આખરે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરનું ઉમેદવારી પત્ર મંજૂર- Gujarat Post | 2024-04-21 13:29:23