નવી દિલ્હી: કોલસાની તંગીથી વીજળી સંકટને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં કોલસા મંત્રી પ્રહ્લાદ જોશી, ઉર્જા મંત્રી આર કે સિંહ સહિત NTPCના અધિકારીઓ હાજર રહ્યાં હતા,અધિકારીઓ તરફથી ગૃહમંત્રીને હાલની સ્થિતિ, કોલસાના જથ્થાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં કોલસાની અછતને કારણે વીજળી સંકટનો મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. સરકારોએ રાજ્યોના નાગરિકોને વીજળીની બચત કરવાની અપીલ કરી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે દેશમાં કોલસાનો પૂરતો ભંડાર છે.
કોલસા મંત્રાલયે સ્પષ્ટ કર્યુ કે, વીજળી ઉત્પાદક પ્લાન્ટની જરૂરીયાત પૂરી કરવા માટે દેશમાં કોલસાનો ભંડાર ઉપલબ્ધ છે. મંત્રાલયે કોલસાની કમીને કારણે વીજળીની આપૂર્તિમાં કમીની આશંકાઓને નકારી દીધી છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને વીજળી સંકટનો મુદ્દો ઉઠાવ્યો હતો.ત્યાર બાદ કોલસા મંત્રાલયે રવિવારે કહ્યું કે વીજળી પ્લાન્ટની પાસે આશરે 72 લાખ ટન કોલસાનો ભંડાર છે, જે ચાર દિવસ માટે પૂરતો છે. કોલ ઈન્ડિયાની પાસે 400 લાખ ટનનનો ભંડાર છે જેની આપૂર્તિ વીજળી પ્લાન્ટને કરવામાં આવી રહી છે. દેશમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન આ વર્ષે સપ્ટેમ્બર સુધી 24 ટકા વધ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38