વિમાનનું બ્લેક બોક્સ તપાસ માટે મોકલવામાં આવ્યું
આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે ઉડ્ડયન મંત્રાલયમાં બેઠકોનો દૌર
અમદાવાદઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરપુરે મંત્રાલય કાર્યાલયમાં હવાઈ સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી કાર્યાલય મુજબ, નાગરિક ઉડ્ડયન સચિવ, ડીજીસીએ મહાનિર્દેશક, એએઆઈ અધિકારીઓ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યાં છે.
આ દરમિયાન અમદાવાદથી ઘટના સ્થળનો એક વીડિયો પણ સામે આવ્યો, જ્યાં 12 જૂને 242 યાત્રીઓ (ક્રૂ મેમ્બર્સ સહિત) ને લઈ જતું AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં સવાર 242 માંથી 241 લોકોના આ અકસ્માતમાં મૃત્યુ થયા હતા.
લંડન ગેટવિક હવાઈ અડ્ડાના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટીવર્ટ વિંગેટે અમદાવાદ પાસે થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. એક્સ પર લંડન ગેટવિક દ્વારા કરાયેલી પોસ્ટમાં વિંગેટે કહ્યું કે હવાઈ અડ્ડા એર ઇન્ડિયાના સંપર્કમાં છે અને સહાયતા પ્રદાન કરી રહ્યું છે. તેમણે કહ્યું, 'અમે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171થી સંબંધિત દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખી છીએ. અમારી સંવેદનાઓ વિમાનમાં સવાર લોકોના પરિવાર અને મિત્રો સાથે છે. ફ્લાઇટ AI171 જે 12 જૂને અમદાવાદ એરપોર્ટથી પ્લેન ટેકઓફ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને લંડન ગેટવિકમાં ઉતરવાની હતી. લંડન ગેટવિક એર ઇન્ડિયા સાથે સંપર્ક કરી રહ્યું છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50