Thu,12 March 2026,9:51 am
Print
header

અમદાવાદમાં ઉછીના પૈસા ન આપવા બાબતે મિત્રએ જ મિત્રની પથ્થર મારીને કરી ઘાતકી હત્યા

  • Published By
  • 2025-02-14 09:00:44
  • /

(પ્રતિકાત્મક ફોટો)

અમદાવાદઃ સરસપુર વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, ઉધારના પૈસા ન આપવાને કારણે મિત્રએ પોતાના જ મિત્રની ઘાતકી હત્યા કરી નાખી, ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરસપુર વિસ્તારના રહેવાસી અને રોજી મજૂરી કરતા મોહમ્મદ હુસૈન 10 ફેબ્રુઆરીના રોજ કાલુપુર માર્કેટમાં એક દુકાનની છત પર સૂતા હતા. દરમિયાન મિત્ર ભૂષણ ઉર્ફે શિવા ત્યાં પહોંચી ગયો હતો અને તેને પૈસા ઉછીના માંગ્યા હતા. મોહમ્મદ હુસૈને પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે ભૂષણ ગુસ્સે થઈ ગયો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યા બાદ તેના માથા પર ત્રણ-ચાર વાર પથ્થર વડે માર્યો હતો.

મિત્રએ પથ્થરમારો કરીને મિત્રની હત્યા કરી

આ ઘટના દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે ભૂષણ સ્થળ પરથી ભાગી ગયો હતો. મોહમ્મદ હુસૈનનો પરિવાર તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે ભૂષણની ધરપકડ કરી છે. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેણે કેટલા પૈસા માંગ્યા હતા અને આ ઘટનામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં.

પોલીસે આરોપીની ધરપકડ કરી

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેમની વચ્ચે અગાઉ પણ કોઈ પ્રકારનો વ્યવહાર થયો હતો કે કેમ. બંને મજૂર તરીકે કામ કરતા હતા અને તેથી જ તેઓ મિત્ર બન્યાં હતા. ઘટના બાદ મૃતકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. તેઓ ન્યાયની માંગ કરી રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch