Sat,08 August 2026,9:30 pm
Print
header

ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો, જાણો- કોણ હતા આ યુવક-યુવતી ?

  • Published By Panna Patel
  • 2026-07-13 09:22:30
  • /

અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલ પાસે આવેલી કુમકુમ હોટલના એક રૂમમાંથી યુવક અને યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. બંને પ્રેમી પંખીડા હોવાનું અને આ પગલાં પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કોણ હતા આ યુવક-યુવતી ?

પોલીસની પ્રાથમિક તપાસની માહિતી મુજબ, આપઘાત કરનાર બંને યુવક-યુવતી પંચમહાલ જિલ્લાના સંતરામપુરના વતની હતા. મૃતક યુવકની ઓળખ 21 વર્ષીય જયદીપકુમાર પટેલિયા અને યુવતીની ઓળખ 20 વર્ષીય નીતાબેન ડામોર તરીકે થઈ છે. મૃતક નીતાબેન અમદાવાદમાં જ રહીને નર્સિંગનો અભ્યાસ કરતા હતા.  

હોટલના સ્ટાફે લાંબા સમય સુધી બંધ રહેલા તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ જ પ્રતિક્રિયા કે અવાજ ન આવતાં હોટલના મેનેજરને જાણ કરવામાં આવી હતી. મેનેજરની હાજરીમાં જ્યારે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો, ત્યારે રૂમમાં પંખા સાથે દોરડું બાંધીને બંને પ્રેમી પંખીડા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા.

આ ઘટનાની હોટલના સ્ટાફે ચાંદખેડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહોને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યાં હતા. તપાસમાં મૃતક યુવક-યુવતી પાસેથી કોઈ પણ પ્રકારની સ્યૂસાઇડ નોટ મળી નથી. તેમને કયા કારણસર પોતાનું જીવન ટૂંકાવ્યું તે હજુ અકબંધ છે. ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch