દેશની સંપત્તિ અદાણી-અંબાણીને અપાઇ રહી છે
સેનામાં અગ્નિવીરોને પેન્શન અને શહીદનો દરજ્જો મળવો જોઇએ
અમે 50 ટકા અનામતની દિવાલ તોડીશુંઃ રાહુલ ગાંધી
અમદાવાદઃ રિવરફ્રન્ટ પર કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના અનેક ઉચ્ચ નેતાઓએ ભાષણો આપ્યાં હતા, જેમાં રાહુલ ગાંધીએ સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપ્યાં છે, સાથે જ તેમને દેશમાં જાતિ આધારિત જનગણનાનો મુદ્દો ઉપાડ્યો હતો. રાહુલે વક્ફ બિલને લઇને પણ મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. તેમને કહ્યું કે અમારી કોંગ્રેસ સંઘ અને ભાજપને હરાવવા તૈયાર છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મે સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઇએ કે કેટલા દલિતો છે, કેટલા પછાત લોકો છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.
રાહુલ ગાંધીએ બંધાણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યાં હતા. તેમને મહાત્મા ગાંધીને યાદ કરીને કહ્યું કે ગાંધીજીની અને સંઘની વિચારસણીમાં મોટો ફરક છે. રાહુલ અગ્નિવીરો મામલે પણ મોદી સરકારની નીતિ ખોટી હોવાનું કહીને સરકાર સામે લડવાના સંકેત આપ્યાં છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બન્યાં હતા. 150 વર્ષ પહેલા સરદાર પટેલ આ ધરતી પર પેદા થયા હતા. ગાંધીજી, સરદાર પટેલ અમારી કોંગ્રેસ પાર્ટીના ફાઉન્ડર છે. રાહુલે સરદાર અને ગાંધીને યાદ કરીને ભાજપ પર પ્રહાર કર્યાં હતા અને ભાજપની વિચારસણી હિંસક હોવાની વાત કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
LIVE: Nyaypath | AICC Session | Ahmedabad, Gujarat. https://t.co/aPbFvWh8Fa
— Congress (@INCIndia) April 9, 2025
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, સોનમ વાંગચુક પણ પહોંચ્યાં | 2026-06-06 17:40:52
ભાજપે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા, જાણો વધુ વિગતો | 2026-06-04 18:24:30
પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા: મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે બળવો | 2026-06-01 17:23:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50