અમરેલીની ઘટના ગુજરાતના રાજકારણમાં ફરી બનશે એપી સેન્ટર?
સ્ટેજ પરથી પટ્ટા મારવાનો ગોપાલ ઈટાલીયાનો વીડિયો થયો વાયરલ
સુરત: અમરેલી લેટર કાંડમાં પાટીદાર દીકરી સાથે કરવામાં આવેલા વર્તનથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાએ આત્માને જગાડવા ખુદ પટ્ટા માર્યા હતા. સુરતના પાટીદાર બહુમતીવાળા એવા વરાછા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ જનસભા યોજી હતી અને અમરેલીની ઘટનામાં દીકરીને ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગી હતી.
આ ઉપરાંત ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે જનસભા સંબોધતા સમયે જ સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. ગુજરાતમાં બનતી અનેક ઘટનામાં ન્યાય ન અપાવી શક્યાનું જણાવી ગોપાલ ઇટાલિયાએ માફી માંગવા સાથે સ્ટેજ પર પોતાને પટ્ટા મારીને આશ્વર્યજનક કાર્યક્રમ આપ્યો હતો તે ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતના વરાછા વિસ્તારમાં આપ દ્વારા એક સભાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક ઘટના બની છે તેમાં તેઓ લોકોને ન્યાય અપાવી શક્યા નથી તેથી લોકોની માફી માંગીને લોકોના આત્માને જગાડવા માટે સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા.
તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીક કાંડ જેવી અનેક ઘટનાઓ સામે ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે તેવું જણાવ્યું હતું. ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાની જાતને પટ્ટા મારતા સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતનો સૂતેલો આત્મા જાગવો જોઈએ.
— Gopal Italia (@Gopal_Italia) January 6, 2025
ગુજરાતમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને પટ્ટાથી માર મારવામાં આવ્યો એ ઘટનામાં હું એસપીને મળ્યો પણ ન્યાય ન અપાવી શક્યો એ બદલ હું મને પોતાને સજા કરું છું.
આ સિવાય ભૂતકાળમાં અનેક ઘટનાઓ જેવી કે, લઠ્ઠાકાંડ, પેપરલીકકાંડ, મોરબીકાંડ,… pic.twitter.com/zM7qPUQZBz
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
સુરતમાં હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ | 2025-01-21 10:02:51
સુરત: ડોનાલ્ડ ટ્રમ્પનું 4.30 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલ પોટ્રેટ તૈયાર કરાયું, કિંમત 10 હજાર યુએસ ડોલર | 2025-01-20 17:50:23
પંડિત પ્રદીપ મિશ્રાની કથા પર વિવાદ, પીએમ મોદી સહિત ભાજપના નેતાઓની તસવીરોવાળા હોર્ડિંગ્સ હટાવાયા | 2025-01-19 17:29:33
અમદાવાદમાં નરોડા પોલીસે બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધી, PCR વાનમાં દારૂ અને રોકડ મળી હતી | 2025-01-18 19:16:33
અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થરમારો, AAPએ પ્રવેશ વર્મા પર લગાવ્યો મોટો આરોપ | 2025-01-18 18:56:50
શું ભાજપ સરકાર અમરેલીની દીકરીની જેમ કાર્તિક પટેલનો પણ વરઘોડો કાઢશે ? અમિત ચાવડાનું ટ્વિટ- Gujarat Post | 2025-01-18 18:39:12
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51
હું ભગવાન નથી, મારાથી પણ ભૂલ થઈ શકેઃ પ્રથમ પૉડકાસ્ટમાં બોલ્યા પીએમ મોદી - Gujarat Post | 2025-01-10 11:14:56
ACB ટ્રેપઃ આણંદ જિલ્લામાં 1.50 લાખ રૂપિયાની લાંચ લેતા આ પોલીસકર્મી ઝડપાયો | 2025-01-17 12:31:23
જામનગર DRI નું ઓપરેશન, કચ્છમાંથી પ્રોસેસ ઓઇલની આડમાં આવેલો સોપારીનો જથ્થો ઝડપાયો | 2025-01-17 12:06:17
ખેડામાં સીતાપુર પાસે અમદાવાદ-ઈન્દોર હાઇવે પર કાર પલટી જતા 4 લોકોનાં મોત, નીલગાય આવી જતા અકસ્માત | 2025-01-17 12:00:15
ACB ટ્રેપઃ છાપીમાં રૂ.50 લાખની લાંચની માંગણી, 15 લાખ રૂપિયા લેતા સરપંચનો પતિ ઝડપાયો | 2025-01-16 21:23:42
જામનગરમાં ભયાનક અકસ્માત, સ્પીડમાં જઈ રહેલી કાર પલટી જતા 3 મિત્રોનાં ઘટના સ્થળે જ મોત | 2025-01-16 16:49:26