નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દુશ્મન દેશ પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી કરી રહ્યું છે. પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કર્યા પછી ભારતે ચિનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કરી દીધો છે. ભારત હવે ઝેલમ નદી પરના કિશનગંગા ડેમ પર પણ આવી જ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે.
ભારતે ચિનાબ નદી પર આવેલો ડેમ બંધ કરી દીધો છે. સિંધુ જળ ભારતે ચિનાબ નદી પર બનેલા બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા છે. જેના કારણે પાકિસ્તાન તરફ વહેતા ચિનાબ નદીના પાણીમાં ભારે ઘટાડો થયો છે. ચિનાબ પરનો બગલીહાર ડેમ નદીના પ્રવાહમાં વહેતા હાઇડ્રો પાવર પ્લાન્ટ તરીકે બનાવવામાં આવ્યો હતો, સંધિ તોડ્યાના લગભગ 10 દિવસની અંદર ભારત સરકારે આ પગલું ભર્યું છે. તેનાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચિનાબ નદીમાંથી મળતા પાણીના પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે.
બગલીહાર ડેમ લાંબા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. પાકિસ્તાન ભૂતકાળમાં વિશ્વ બેંક પાસેથી મધ્યસ્થી માંગી ચૂક્યું છે. કિશનગંગા બંધને કાનૂની અને રાજદ્વારી ચકાસણીનો સામનો કરવો પડ્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. આ સિંધુ જળ સંધિ વિશ્વ બેંક દ્વારા કરવામાં આવી હતી.
આ સંધિ પર 1960માં તત્કાલીન ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. બે પ્રતિકૂળ પડોશીઓ વચ્ચે શાંતિપૂર્ણ સહયોગના દુર્લભ ઉદાહરણ તરીકે તેની ઘણીવાર પ્રશંસા કરવામાં આવે છે. જો કે હવે આતંકને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાન સામે ભારતે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચુકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
સાઉદી અરબમાં ઉમરાહ માટે જતી બસને નડ્યો અકસ્માત, 42 ભારતીયોના મોત, ટોલ ફ્રી નંબર જાહેર કરાયો | 2025-11-17 11:47:24
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
આ ઘટના ખતરનાક છે, ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોની લાશો દાટેલી હાલતમાં મળી | 2025-11-16 19:44:45
દિલ્હી વિસ્ફોટ પર PM મોદીનું ભાષણ, કહ્યું, કોઈ પણ કાવતરાખોરને બક્ષવામાં આવશે નહીં | 2025-11-11 12:52:04
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યાં | 2025-11-10 11:01:20
માલીમાં આતંકવાદીઓએ 5 ભારતીયોનું અપહરણ કર્યું, પરિવારજનોએ કરી છોડાવવાની માંગ | 2025-11-08 10:03:04
રૂ. 40 કરોડનું 100 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણી નોટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ લગાવ્યં, રૂ. 2 લાખની નોટ જપ્ત | 2025-11-15 19:11:51
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
કાશ્મીરમાં આતંકી ડોક્ટર ઉમર નબીનું ઘર તોડી પાડવામાં આવ્યું, આખી રાત ઓપરેશન ચાલ્યું | 2025-11-14 08:56:41
દિલ્હી બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર કોણે કર્યું હતું ? તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ આવ્યું બહાર | 2025-11-13 09:23:08