Rajkot News: રાજકોટના કાલાવડ રોડ પર લોધિકા તાલુકાના મેટોડા જી.આઈ.ડી.સી.માં આવેલી ગોપાલ સ્નેક્સ લિ.ના પ્રોડક્શન યુનિટમાં ભયાનક આગ ભભુકી ઉઠી હતી. જેને લઈ અફડાતફડી મચી હતી. મેટોડામાં ત્રણ વિશાળ પ્લોટમાં ગોપાલ નમકીનનું પ્રોડક્શન યુનિટ આવેલું છે અને ગાંઠિયા,ચીપ્સ વગેરેનું મોટાપાયે ઉત્પાદન થતું હોવાથી અહીં તેલની પણ મોટી માત્રા હતી, ફેક્ટરીમાં અંદાજિત અઢી હજાર કર્મચારીઓ કાર્યરત છે, જો કે આગની આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
બીજી તરફ આ જ કંપનીને થોડા દિવસ પહેલા 13.50 કરોડ રૂપિયાની સેન્ટ્રલ જીએસટીની નોટિસ મળી હતી અને ત્રણ દિવસમાં તે રકમ ભરપાઈ કરવાની સૂચના પણ મળી હતી. જેને લઈ લોકો આ ઘટનાને આગજનીના બનાવ સાથે જોડીને ચર્ચાઓ કરી રહ્યાં છે.
મેટોડા એસોસિએશનના જણાવ્યાં અનુસાર ઔદ્યોગિક વસાહતમાં 1200 જેટલી ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે અને આગ બુઝાવવા માટે 12000 લિટરના બ્રાઉઝર સહિતની સુવિધા પણ વસાવાઈ છે. જો કે આ આગ એટલી વિકરાળ હતી કે તે બુઝાવવા અનેક ફાયર ફાયટરો આવ્યાં હોવા છતાં ઝડપથી કાબુમાં આવી ન હતી. ત્યારે હાલમાં તો ફાયર વિભાગ અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
આપમાંથી રાજુ કરપડાના રાજીનામા બાદ પરેશ ગોસ્વામી મેદાનમાં, કહી આ વાત | 2026-02-16 17:04:58
બ્રહ્મકુમારીઝ દ્વારા રાજકોટમાં મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી, વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો સમાજ માટે ઉપયોગી | 2026-02-15 10:57:26