Wed,15 July 2026,12:20 am
Print
header

યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા

  • Published By PANNA PATEL
  • 2026-06-11 20:56:07
  • /

હિમાચલ પ્રદેશઃ ઓમાનના દરિયાકાંઠે દરિયામાં તેલ ટેન્કર પર અમેરિકાના હિંસક હુમલામાં બરસર વિધાનસભા મતવિસ્તારના ગાલોદ ગામના રહેવાસી 23 વર્ષીય આદિત્ય શર્માનું મોત નીપજ્યું છે. આદિત્ય જહાજ પર ડેક કેડેટ તરીકે સેવા આપી રહ્યાં હતા અને તેમના પરિવારનો મુખ્ય આધાર હતા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ નાવિક આદિત્ય શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ત્રણ ભારતીય ખલાસીઓ ગુમ થયા હતા

અહેવાલો અનુસાર, ઓમાનના દરિયાકાંઠે જ્યારે જહાજ પર હુમલો થયો ત્યારે તેમાં કુલ 24 ક્રૂ સભ્યો હતા. ત્યાર બાદની કામગીરી દરમિયાન 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતા, જ્યારે ત્રણ ભારતીય ખલાસીઓ ગુમ થયા હતા. એમટી સેટેબેલો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકો - ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશના મોત થયા છે. ગુમ થયેલા લોકોમાં હિમાચલનો એક યુવાન ખલાસી આદિત્ય શર્મા પણ હતા. શોધખોળ બાદ તેમના મૃત્યુની પુષ્ટિ થયા બાદ તેમના પરિવાર અને પ્રદેશમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી.

વિસ્તારમાં શોક છવાઈ ગયો

ગાલોદ ગામમાં આ દુ:ખદ સમાચાર પહોંચતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પરિવાર દુ:ખી છે અને ગામમાં શોકનું વાતાવરણ છે. તેમને નાની ઉંમરે મર્ચન્ટ નેવીમાં પોતાની છાપ છોડી દીધી હતી અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યાં હતા. આ ઘટના બાદ, સ્થાનિક વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓએ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બરસરના ધારાસભ્યએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે પ્રદેશે એક પ્રતિભાશાળી અને આશાસ્પદ યુવાન ગુમાવ્યો છે, જેની ગેરહાજરી લાંબા સમય સુધી અનુભવાશે.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ હુમલાનો ભોગ બનેલા તેલ ટેન્કરમાં કામ કરતા નાવિક આદિત્ય શર્માના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં પરિવાર સાથે મજબૂત રીતે ઉભી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને અસરગ્રસ્ત પરિવારને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે પરમાત્માને પ્રાર્થના કરી છે અને શોકગ્રસ્ત પરિવારને આ અપૂર્ણ નુકસાન સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

મૃતકોના પરિવારજનોને રૂ.10 લાખની નાણાંકીય સહાય આપવામાં આવશે

નાવિક કલ્યાણ ભંડોળમાંથી મૃતકોના પરિવારોને રૂ.10 લાખની નાણાંકીય સહાય આપવામાં આવશે. હાલમાં 18,000 થી વધુ ભારતીય નાવિકો ગલ્ફ ક્ષેત્રમાં વિવિધ જહાજો પર હાજર છે. હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ 13 ભારતીય જહાજો છે, જેમાં 562 ભારતીય નાવિકો સવાર છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch